વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજ માં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ


વાંકલ..
માંગરોળના વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ના ભાગરૂપે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને મીની મેરેથોન દોડનું યોજવામાં આવી હતી ઉપરોક્ત સ્પર્ધાઓનું આયોજન ડૉ. યોગેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સરકારશ્રી દ્વારા જણાવ્યા મુજબ કોલેજના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા તા. 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગો ફરકાવવા માટે તથા તિરંગા નું માન-સન્માન જાળવી રાખવા પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.
કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને તિરંગા નો ઇતિહાસ જણાવવામાં આવ્યો હતો અને દેશ સેવા માટે હંમેશાં તત્પર રહેવા જણાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું આયોજન ડૉ. રાજેશ સેનમા, ડૉ. ધર્મેશ મહાજન, ડૉ. નિશાંત જુનારકર, ડૉ અનિલ સિંઘ, ડૉ. હેમલ વણકર, પ્રો. વનરાજ કાગડા, પ્રો. દીલિપ ભાયાણી અને પ્રો.કુમાર ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.

TODAY 9 SANDESH NEWS. વાંકલ માંગરોળ. રિપોર્ટર .વિનોદ મૈસુરિયાં

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વલસાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકી દ્વારા સોનવાડા આશ્રમશાળા ખાતે 100 થી વધુ નાની મોટી બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું..

વલસાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકી દ્વારા સોનવાડા આશ્રમશાળા ખાતે 100 થી વધુ નાની મોટી બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું.. સોનલબેન સોલંકી દ્વારા ખરેખર એક સરાહનીય કાર્ય કરવામાં…

વાંસદા તાલુકાના કંડોલપાડા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

વાંસદા તાલુકાના કંડોલપાડા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગામ ના લોકો અને સ્કૂલ માં અભ્યાસ કરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!