મકરસંક્રાંતિ ઉતરાયણ પર્વ નિમિત્તે ભારત સેવાશ્રમ સંઘ ગગપુર ખાતે પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગથી ધાબલા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આ પ્રસંગે સુરત થી પધારેલ આતરાષ્ટ્રીય ભારત સેવા શ્રમસંઘ ના મંત્રી એવા પુજનીય સ્વામી અબરીશાનદજી મહારાજ તેમજસુરત થી પધારેલ યોગ ગુરુ હરપાલ શાસ્ત્રીજી તેમજ નારાયણ ગગવાણી તેમજ નંદકિશોરજી તેમજ રાહુલ ગગવાણી ભારત સેવા શ્રમ સંઘ ગગપુર ના મંત્રી એવા શ્રી વિશ્વરૂપાનંદજી મહારાજ તેમજ સંસ્થાના અગ્રણી એવા શ્રી નીમીષભાઈ વ્યાસ તેમજ રાજુભાઈ સંસ્થા ના ટ્રસ્ટી એવા મગનભાઈ માહલા તેમજ ગંગપુર ગામ ના સરપંચ રાજુભાઈ ભગરિયા તેમજ સુરેશભાઇ થોરાટ તેમજ મુબઈ થી પધારેલ સંસ્થા ના દાતા એવા શ્રી ચંદ્રકાંતભાઈ તેમજ તેમનો પરિવાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં
આ કાર્યક્રમમાં આજુ બાજુના ગામોમાં માથી પધારેલા ગ્રામ જનો ને પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગથી 1000 ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું તેમજ તમામ લાભાર્થીઓ ને તેમજ ગ્રામજનો ને માટે મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળા ના બાળકો દ્વારા વીવીધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી તેમજ દાતા શ્રીઓ દ્વારા બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના આચાર્યા તેમજ સ્ટાફ મિત્રો તેમજ આશ્રમ સ્ટાફે ખુબ મહેનત કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા-