વાંસદા પોલીસ ટીમ..સાથે પી.એસ.આઇ જે.વી ચાવડા એ સેવા સુરક્ષા શાંતિ નાં સૂત્રને સાર્થક કર્યું

વાંસદા પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેકટર જે વી ચાવડા ની માનવતા સભર કામગીરી..વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુનિફોર્મની ઇજ્જત ત્યારે વધે છે જ્યારે તેની અંદર માનવતા જીવીત હોય છે, યુનિફોર્મ ની કિંમત ત્યારે વધે છે જ્યારે યુનિફોર્મ ફરજ દરમ્યાન માતા બહેનો, પીડીત,શોષિત, વંચિતો માટે કંઈક કરવાની આકાંક્ષા અંતરમાં જાગૃત છે.જેના ભાગરૂપે નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગવાલ ના નેતૃત્વ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય નાં સુચના અને માર્ગદર્શન હેઠળ વાંસદા પોલીસ સ્ટેશન નાં પોલીસ સબ ઇન્સ્પેકટર જે વી ચાવડા તથા ટીમના આંતરિયાળ વિસ્તારમાં નિરાધાર અને એકલવાયું જીવન જીવતા વયોવૃદ્ધ વડીલો કે જેમનાં જીવનરૂપી શબ્દકોશ માંથી ઉત્સાહ અને આનંદ તહેવાર જેવા શબ્દો ની બાદબાકી થઈ ગઈ છે.તેવા વૃધ્ધ વૃધ્ધા ઓ માટે વાંસદા પોલીસ તેમનો પરિવાર બની દિવાળીના તહેવાર નિમિત્તે ગામના સરપંચ સાથે મળીને તેમનાં ઘરે જઈને વયોવૃદ્ધ વડીલો કુલ આઠ વડીલોને એક મહિનાનું રાસન ગરમ ધાબળા સાડી કપડાં અને મીઠાઈ આપી તેમની સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી અને સરકારી યોજના અંતર્ગત લાભ મળે છે તેની ખાતરી કરવામાં આવી.
આમ દિવાળી તહેવારો દરમિયાન પોલીસ પરિવાર બંદોબસ્તમાં વ્યસ્ત હોય આવી રીતે માનવતા સભર કામગીરી કરી પોતાની ટીમ સાથે દિવાળીની ઉજવણી કરી હતી…

રીપોર્ટ –
દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ- અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા હનુમાનબારી ગામે જી.નવસારી શ્રી સર્વોદય રોહિત સમાજ સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકામાં હનુમાનબારી ગામે શ્રી સર્વોદય રોહિત સમાજ જિલ્લા નવસારી સંસ્થા તરફથી વાંસદા મુકામે યોગેશભાઈ દેસાઈ ના ઘરે વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 43 વિદ્યાર્થીઓને 490 નોટબુક…

વાંસદા જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપાસનો કેમ્પ યોજાયો.

જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપસનો કેમ્પ યોજાયો. મોજે. નાનીભમતી ભરતનાથ મહાદેવ (શંકરગીરી મહારાજ) મંદિરે મફત આંખની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ૨૧૫ જેટલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!