આવેદનપત્ર

વાંકલ FPS એસોસિએશનની વિવિધ પ્રશ્ને માંગરોળ મામલતદાર ને આવેનપત્ર પાઠવી રજૂઆત કરી.

વાંકલ:

જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો બીજી ઓક્ટોબરથી વિતરણ વ્યવસ્થા અટકાવી દેવાની ચીમકી ઉચ્ચારી.
સસ્તા અનાજના દુકાનદારોના વિવિધ પ્રશ્નો અંગે મામલતદાર એ.સી. વસાવાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી માત્ર આપતા આશ્વાસન આપતા હોવાનું જણાવ્યું હતું. જો સસ્તા અનાજની દુકાનની માંગ નહીં સંતોષાય તો બીજી ઓક્ટોબરથી અનાજ વિતરણ વ્યવસ્થા ઠપ કરવાની ચીમકી ઉચ્ચારવા આવી છે .માંગરોળ તાલુકા ફેરપ્રાઇઝ ના પ્રમુખ હિતેન્દ્ર ભટ્ટ દ્વારા માંગરોળ મામલતદારને એ.સી.
વસાવા ને અલ્ટીમેટમ સાથે રજૂઆત પોષણક્ષમ દુકાન,વિતરણ ઘટ, કોરોના સહાય ચુકવણી, નોમિનેશન જરૂરી સાહિત્ય નિભાવા વગેરે દસ જેટલી માંગણીનું તાત્કાલિક સંતોષવા માં ન આવે તો આગામી બીજી ઓક્ટોબરથી જાહેર વિતરણ વ્યવસ્થાઠપ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ તકે ફેરપ્રાઇઝ ના પ્રમુખ હિતેન્દ્ર ભટ્ટ, ઉપપ્રમુખ નીતિન રાજપૂત તેમજ સસ્તા અનાજના દુકાનદારો હાજર રહ્યા હતા.

રિપોર્ટ–વિનોદ મૈસુરીયા —–માંગરોળ વાંકલ

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!