Watch “વાંસદા તાલુકાના વાડીચૌઢા ગામે ધોવાણથી પૂલ તૂટ્યો.બે બાઈકસવાર પટકાયા તંત્ર દોડતું થયું” on YouTube

વાંસદા –વાપી શામળાજી હાઇવે પર વાડીચોંઢા ગામે વર્ષો જૂનો પુલ જમીનમાં ધરાસાઇ

વાંસદા………..
વાંસદા –વાપી શામળાજી હાઇવે પર વાડીચોંઢા ગામે વર્ષો જૂનું ગરનાળુ જમીનમાં ધસ્યું. વાંસદા તાલુકામાંથી પસાર થતો વાપી શામળાજી હાઇવે પર વાંસદા અને ધરમપુર વચ્ચે વાડીચોંઢા ગામે આવેલ ગરનાળુ ભારે વરસાદમાં ધોવાઈને ૨૦ ફૂટ ઊંડે જમીનમાં ધસ્યું હતું. વાંસદા અને ધરમપુર વિસ્તાર જંગલોથી છવાયેલો છે, જેના કારણે અહીં વરસાદ પણ સારા એવા પ્રમાણમાં પડે છે, સારો વરસાદ ક્યાંક ફાયદો તો ક્યાંક નુકસાન કરાવી જાય છે, વાંસદા તાલુકાના વાડીચોંઢા ગામેથી પસાર થતા વાપી શામળાજી હાઇવે પર ભારે વરસાદમાં ગરનાળુ ધોવાઈને ૨૦ ફૂટ ઊંડે ધસી જવા પામ્યું હતું. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો.

મોડી રાત્રે આ ઘટના બનવાથી કોઈ પણ જાનહાની થઈ નથી, પરંતુ વહેલી સવારે મળસ્કે શાકભાજી વેચવા વાંસદા જતા યુગલને અંધારાના કારણે ગરનાળુ ધસી જવાનો ખ્યાલ ન રહેતા અકસ્માત સર્જાયો હતો અને તેઓને ગંભીર રીતે ઇજાઓ થઈ હતી. તેઓ વાંસદાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમની સ્થિતિ હાલમાં સારી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતાં વાંસદા પોલીસે મોરચો સાંભળી લીધો હતો અને તાત્કાલિક ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેથી ટ્રાફિક જામ ન થાય, બંને બાજુથી એક એક કિલોમીટરના અંતરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારબાદ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને જાણ થતાં તેઓ તુરંત ઘટના સ્થળે હાજર થયા હતા. આ ઉપરાંત ઘટનાની જાણ થતાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સાથે નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચા ઉપપ્રમુખ ડો.વિશાલ પટેલે મુલાકાત લઈ તંત્રને જાણ કરી તાત્કાલિક કામગીરી શરૂ કરાવી તથા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

【 વાપી શામળાજી હાઇવે પર ભારે વરસાદના કારણે એક સ્ટ્રક્ચર ડેમેજ થયેલું છે. તાત્કાલિક જ અમે સ્થળ સ્થિતિની તપાસ માટે પહોંચ્યા છે, એને રિસ્ટોર કરવાનો પ્રયત્ન અમે ચાલુ કરી દીધેલ છે. હાલ પૂરતું ડાયવરઝન આપવામાં આવ્યું છે.,,_————————
-ધર્મા ભટ્ટ, નેશનલ હાઇવે, આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ 】

【વાડીચોંઢા ગામમાં ભારે વરસાદના પગલે ગરનાળુ ધોવાઈ ગયું હતું. વાંસદા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવાયો હતો. તેમજ અધિકારીઓ પણ તરત જ આવીને યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી હતી.
-,——————સતિષભાઈ, સ્થાનિક વાડીચોંઢા】

અમિત મૈસુરીયા Today 9 Sandesh News

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

નવસારી જિલ્લામાં ભારે વરસાદ ના કારણે તા. ૦૪-૦૮-૨૦૨૪ના રોજ વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા.

(૧) કાળા આંબા વાટી રોડ (૨) મહુવાસ સરા રોડ (૩)લાખાવાડી ચાપલધરા મીઢોલ ફળિયા રોડ (૪) સિંગાડ જાગૃતિ ફળિયા રોડ (૫) નાની વાલઝર મોટી વાલઝર રોડ (૬) બારતાડ જીવણબારી ફળિયા રોડ…

Watch “વાંસદા તાલુકાના ઘોડમાળ ગામની રસ્તાની સમસ્યા બાબતે સ્થાનિકો એ કરી ધારાસભ્ય અનંત પટેલ ને રજુઆત” on YouTube

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામ નાં  રહેવાસી તાલુકા પંચાયત નાં પ્રમુખ સંતુભાઇ  ગાંવિતનાં ગામના હિરખાસ્ત ફળિયા ના રસ્તા ની સમસ્યા બાબતે સ્થાનિકો એ   ધારાસભ્ય અનંત પટેલ ને કરી  રજૂઆત. TODAY 9…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!