વાંસદા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રાણીફળિયા શાળાના 106 બાળકો તેમજ આંગણવાડીના 16 બાળકોને સુવર્ણ પ્રાસન ડ્રોપ્સ પીવડાવ્યા

ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી વાંસદા દ્વારા રાણીફળિયા મુખ્ય પ્રા. શાળા માં આયુર્વેદ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો.

ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી વાંસદા તથા જીલ્લા આયુર્વેદ અધિકારી નવસારી ડૉ. નયના પટેલ દ્વારા રાણીફળિયા મુખ્ય શાળા મૂકામે આયુર્વેદ હેલ્થ ચેક અપ કેમ્પ રાખવામાં આવ્યો. રેડક્રોસ સોસાયટી ના પ્રમુખશ્રી શ્રીમંત મહારાજા સાહેબશ્રી જયવિરેન્દ્ર સિંહજી સોલંકી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ને ખુલ્લો મૂકવામાં આવ્યો.

શાળાના 106 બાળકો તેમજ આંગણવાડીના 16 બાળકોને સુવર્ણ પ્રાસન ડ્રોપ્સ પીવડાવી તમામ શાળાના અને આંગણવાડીના બાળકોનું આરોગ્ય તપાસ કરી જરૂરિયાત મંદ બાળકોને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા સારવાર આપવામા આવી.

જેમા સરકારી આયુર્વેદ દવાખાનના ઉપસળના મે.ઓ ડૉ.અમિષા પટેલ દ્વારા સેવા આપવામાં આવી.શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા સર્વે મહેમાનોનો આભાર વ્યકત કરવામાં આવ્યો.

આ પ્રસંગે ગામના સરપંચશ્રી બાબુભાઈ, રેડક્રોસ સોસાયટી ના સેક્રેટરી શ્રી પ્રદ્યુમન સોલંકી, હિનેશભાઈ ભાવસાર,ધર્મેશભાઈ પુરોહિત, શાળાના SMC અધ્યક્ષશ્રી મહેન્દ્રભાઈ તથા શાળા પરીવાર હાજર રહ્યા હતા.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા વાંદરવેલા ખાતે 10 માર્ચે નિરાલી હોસ્પિટલ અને ગુર્જર સમાજ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ અને રકતદાન કેમ્પ નું આયોજન.

શ્રી દેવનારાયણ ગુર્જર સમાજ ટ્રસ્ટ વાસંદા ચીખલી ડાંગ ગુજરાત શિક્ષણ અને રમતગમતમાં જાગૃતિ લાવવા, સમાજને નશા મુક્ત બનાવવા અને સમગ્ર સમાજને સંગઠિત કરવા અને જાગૃત કરવા માટે ના 8/3/2024,રોજ મા…

વાંસદા આનંદતપોવન ના સુપ્રશિધ્ધ યોગાચાર્ય અને યોગ ચિકિત્સા આચાર્ય ડો.શંકરભાઈ તેમજ ડાયરેક્ટર વૈશાલી શાહ દ્વારા ધ્યાન યોગ અને પ્રાણ વિદ્યા પર કરેલ સંશોધન પેપર ને સ્વીકારી રજૂ કરવા આમંત્રણ

આનંદ તપોવન વાંસદા ના સુપ્રશિધ્ધ યોગાચાર્ય અને યોગ ચિકિત્સા આચાર્ય ડો.શંકરભાઈ તેમજ ડાયરેક્ટર વૈશાલી શાહ દ્વારા ધ્યાન યોગ અને પ્રાણ વિદ્યા પર કરેલ સંશોધન પેપર ને સ્વીકારી રજૂ કરવા આમંત્રણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!