ખાટાઆંબા ગામખાતે રાત્રીના સમયે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં એક મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

વાંસદા તાલુકો જંગલ વિસ્તારથી ઘેરાયેલો છે ત્યારે વાંસદા તાલુકામાં અવાર નવાર અજગર પકડાયા હોઈ એવા અનેક કિસ્સાઓ સંભાળવાંમાં આવ્યા હોઈ ત્યારે ખાટાઆંબા ગામખાતે રાત્રીના સમયે સાડા દસ વાગ્યાના અરસામાં એક મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયા બાદ આ અજગરને પાછો જંગલમાં સહી સલામત સ્થળે છોડવામાં આવ્યો હતો.


મળતી માહિતી મુજબ ખાટાઆંબા ગામના નિશાળફળીયા માં રાત્રીના૧૦.૩૦ વાગ્યા-ના અરશામાં સુશીલભાઈ ગાંવિત અને બાદલભાઈ મહાકાળભાઈ રાત્રીના સમયે ખાટાઆંબા ગામના નિશાળફળીયા માંથી પસાર થતાં હતા તે સમયે તેમની નજર અજીતભાઈ ચંદુભાઈ પઢેરના ઘરની બાજુના ખેતરમાંથી રસ્તા પર આવતા એક મહાકાય અજગર પડતા તેમણે ત્યાં આજુબાજુના ઘરોમાં રહેતા લોકોને આ અજગર બાબતે જાણ કરીને સાથેમળીને ભારે જહેમત બાદ આ સાડા સાત ફૂટ લંબાઈ ધરાવતો અને 15કિલોગ્રામ જેટલું વજન ધરાવતા આ અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું હતું ત્યારે નિશાળફળીયાના લોકો એ હાશકારો અનુભવ્યો હતો ત્યારબાદ આ અજગરને પાછો જંગલમાં સહી સલામત સ્થળે છોડવામાં આવ્યો હતો.

Today 9 sandesh News              વાસદા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તા ની ઘણા વર્ષો થી બિસ્માર હાલત સ્થાનિકો ત્રાહિમામ.

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે — દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો…

વાંસદા તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદ ને કારણે નદી -નાળા છલકાતા ભીનાર કુરેલીયા રોડ પર પાણી ભરાતા વ્યવહાર ખોરવાયો.

વાંસદા તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદ ને કારણે નદી -નાળા છલકાતા ધણા વિસ્તારોમાં પાણી ભરાયા. ભીનાર ગામના ડુંગરી ફળિયા વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યાને વારંવાર રજૂઆત કરવા છતાં નફફટ વહીવટી તંત્ર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!