ચીખલી તાલુકાના આમધરામાં અસત્ય પર સત્યના વિજયની ઉજવણી રૂપે જલારામ ધામ ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાયો

ધાર્મિક ગ્રંથો અનુસાર, દશેરાના દિવસે મર્યાદા પુરષોત્તમ પ્રભુ શ્રી રામે 10 માથા વાળા રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય પ્રાપ્ત કર્યો હતો.

આ પ્રાચીન કથા ના આધારે દશેરાના દિવસે 10 માથા વાળું પૂતળું બનાવી દહન કરવામાં આવે છે. ત્યારે ચીખલી તાલુકાના આમધરા ગામમાં જલારામ ધામ નવયુવક મંડળ,આમધરા દ્વારા છેલ્લાં 15 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘટ સ્થાપન કરી માતાજીની નવ દિવસ ગરબા સાથે આરાધના કરી દશેરાના દિવસે રાત્રે 08:00 કલાકે ડી.જે. ના તાલ સાથે લંકાપતિ રાવણના 15 ફુટ ઉંચા પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું. આકર્ષક પૂતળાં તૈયાર કરવાં મંડળના ધવલ પટેલ અને મંડળ ના યુવાનો એ ભારી જહેમત ઉઠાવી હતી.

TODAY 9 SANDESH NEWS

રીપોર્ટ – દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ -અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.

દંડકવન આશ્રમ ખાતે 11 મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક…

વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયામાં મહાકાળી માતાજી મંદિરે સવંત ‌‌૨૦૮૨ચૈત્ર‌ પુનમ (હનુમાન જયંતી) નિમિત્તે ભગવાન શ્રી સત્ય નારાયણ ની પૂજા સાથે મહાયજ્ઞ અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું.

કથાકાર ભાસ્કરભાઈ એ દેવ પુજા કરાવી હતી અને આયોજન મંદિર ના પુજારી સુખાભાઈ બી પટેલ (ભગત) ના હસ્તક કરવામાં આવ્યું હતું જેમાં ગામના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તો માટે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!