ચીખલી તાલુકાના આમધરામાં અસત્ય પર સત્યના વિજયની ઉજવણી રૂપે જલારામ ધામ ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાયો

ધાર્મિક ગ્રંથો અનુસાર, દશેરાના દિવસે મર્યાદા પુરષોત્તમ પ્રભુ શ્રી રામે 10 માથા વાળા રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય પ્રાપ્ત કર્યો હતો.

આ પ્રાચીન કથા ના આધારે દશેરાના દિવસે 10 માથા વાળું પૂતળું બનાવી દહન કરવામાં આવે છે. ત્યારે ચીખલી તાલુકાના આમધરા ગામમાં જલારામ ધામ નવયુવક મંડળ,આમધરા દ્વારા છેલ્લાં 15 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘટ સ્થાપન કરી માતાજીની નવ દિવસ ગરબા સાથે આરાધના કરી દશેરાના દિવસે રાત્રે 08:00 કલાકે ડી.જે. ના તાલ સાથે લંકાપતિ રાવણના 15 ફુટ ઉંચા પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું. આકર્ષક પૂતળાં તૈયાર કરવાં મંડળના ધવલ પટેલ અને મંડળ ના યુવાનો એ ભારી જહેમત ઉઠાવી હતી.

TODAY 9 SANDESH NEWS

રીપોર્ટ – દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ -અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ.

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ. ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટનાં મોહનગઢ ડુંગર પર આસુરા ગામનાં હદવિસ્તારમાં બિરાજમાન આદિવાસીઓના કુળદેવી માવલી માતાનાં…

વાંસદાના સાંઇ સરકાર ગૃપ ના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ધાર્મિક સંસ્કાર નું સિંચન નું પ્રમાણ.

વાંસદાના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ——– સાંઈ સરકાર ગ્રુપના 18થી 20 વર્ષના યુવાનો ચારધામ યાત્રા માટે રવાના; નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ કમલ સોલંકીએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી ——–…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!