વલસાડ ખાતે દશેરા પર્વ નિમિત્તે વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ દ્વારા વિવિધ ક્ષેત્રે સમાજને ગૌરવ અપાવવા બદલ રાજપૂત સમાજના વીરલાઓનું સન્માન

દશેરા પર્વ નિમિત્તે વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ દ્વારા રાજપૂત સમાજ ભવન, વલસાડ ખાતે વિવિધ ક્ષેત્રે સમાજને ગૌરવ અપાવવા બદલ સમાજના વીરલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું .

આ કાર્યક્રમ માં ધરમપુરની ઉમરમાળ પ્રાથમિક શાળાના શિક્ષક હેમંતકુમાર ભીખુભાઈ રાઠોડને શિક્ષણ ક્ષેત્રે સમાજને ગૌરવ અપાવવા બદલ વલસાડ વિભાગ રાજપુત સમાજ સેવા સંઘ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. હેમંતકુમાર ભીખુભાઈ રાઠોડ ધરમપુરનાં ભાંભા ગામના રહીશ છે. તેમણે ઉમરમાળ પ્રાથમિક શાળાને પોતાની કારકિર્દી દરમિયાન અનેક સિધ્ધિઓ અપાવી છે. તેઓને આ વર્ષે ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ દ્વારા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન પણ મળ્યું હતું.

શાળાના બાળકો અને સમાજનો વિકાસ થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેઓના આ ભગીરથ કાર્યની રાજપૂત સમાજે નોંધ લઈ તેઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

TODAY 9 SANDESH NEWS

રીપોર્ટ – અમ્રત ગાંવિત – બ્યુરો ચીફ વલસાડ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ધરમપુર ચાર રસ્તા પર સ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા દુર્દશા માં હતી, જાગૃત યુવાનોએ આગળ આવીને પોતાની ફરજ નિભાવી પ્રતિમાની સાફ સફાઈ હાથ ધરી.

કોઈપણ સ્મારકની સ્થાપના કરવી એ ગૌરવની વાત છે, પરંતુ તેની પવિત્રતા અને સફાઈ જાળવી રાખવી એ તેનાથી પણ મોટી જવાબદારી છે. ધરમપુર ચાર રસ્તા પર સ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા…

ડૉ. બાબા સાહેબ આંબેડકર લાઇબ્રેરી કંડોલપાડા ખાતે ડૉ. જયપાલસિંહ મુંડા અને સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતીની ભાવપૂર્ણ ઉજવણી થઈ

ડૉ. બાબા સાહેબ આંબેડકર લાઇબ્રેરી કંડોલપાડા ખાતે ડૉ. જયપાલસિંહ મુંડા અને સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતીની ભાવપૂર્ણ ઉજવણી : ડૉ. બાબાસાહેબ આંબેડકર લાઇબ્રેરી કંડોલપાડા ખાતે આદિવાસી હકોના પ્રખર પ્રવક્તા તથા સ્વતંત્રતા સેનાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!