વાંસદા તાલુકા માં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ના ઉનાઈ માતાજી ના મંદિરના ગરમ પાણીના ઝરા વરસાદને કારણે ફરી જીવંત થયાં

ઉનાઇ માતાજીના મંદિરના ગરમ પાણીના ઝરા ચોમાસામાં વરસાદને કારણે ફરી જીવંત થયાં

વાંસદા તાલુકાના ઉનાઈ પંથકમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાજીના મંદિરના ગરમ પાણીના કુંડ ચોમાસામાં વરસાદને પગલે ફરી જીવંત થયા છે. વરસાદી પાણીના કારણે જમીનમાં રહેલું ભુગર્ભ જળ ઊંચુ આવતા ગરમ પાણીના ઝરા પુનઃ જીવંત થવા પામ્યા છે. વધુમાં વાંસદા તાલુકાના ઉનાઈના ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ ઉનાઇ માતાના સાંનિધ્યમાં આવેલા ઐતિહાસિક ગરમ પાણીના ઝરામાં ચોસામા દરમ્યાન નવા નીર આવતાં જીવંત થઈ ઉઠયા છે

છેલ્લા ઘણા દિવસોથી વાંસદા વિસ્તારમાં અવિરત વરસાદના પગલે જમીનમાં રહેલું ભુગર્ભ જળ ઊંચુ આવતા ગરમ પાણીના ઝરા પુનઃ જીવંત થયા છે. જેથી શ્રદ્ધાળુઓમાં ખુશીની લાગણી પ્રસરી છે. પાણી માટે એક એવી માન્યતા છે કે કુંડના પાણીમાં સ્નાન કરવાથી ચામડીના રોગ મટી જાય છે. જેના કારણે અનેક ભાવિકભક્તો અહીં શ્રદ્ધા સાથે સ્નાન કરવા આવે છે કુંડમાં સ્નાન કરીને ધન્યતા અનુભવતા હોય છે.

અમિત મૈસુરિયા વાંસદા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો                 

વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો ધર્મ પ્રેમી નગરી વાંસદામાં રામાનંદજી મહારાજ ની ધૂણી ગઢીધર્મશાળામાં આવેલી છે તે જગ્યાએ રાજા રજવાડાના…

બ્રહ્મ કમળ. સોમવાર નાં પ્રથમ દિવસે દુર્લભ અદભુત પાવિત્ર બ્રહ્મ કમળ ખીલ્યું.

પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર નાં દીને સંધ્યા સમયે ખીલ્યું બ્રહ્મ કમળ. વર્ષ માં એકવાર શ્રાવણ માસમાં જ આ દુર્લભ પવિત્ર બ્રહ્મ કમળ નાં ભાગ્યે જ દર્શન થાય છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!