વાસદા ખાતે ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતી નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની શોભાયાત્રા યોજાઈ

0
160

આ શોભાયાત્રામાં વાસદા તાલુકાના આદિવાસી ભાઈ બહેનો તથા અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા અને દેશભક્તિની ગંગા બહેતી કરી હતી.અને સ્વતંત્રતા સેનાની અને આદિવાસી સમાજના જન નાયક એવા ભગવાન બિરસા મુંડાજી ની જન્મ જયંતી પર વિધાનસભા ના ઉમેદવાર પિયુષભાઈ પટેલે વંદન સહ જનજાત્ય ગૌરવ દિવસની આદિવાસી સમાજના તમામ લોકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી

ભગવાન બિરસા મુંડાજી ની જન્મ જયંતી પર વિધાનસભા ના ઉમેદવાર પિયુષભાઈ પટેલે વંદન સહ જનજાત્ય ગૌરવ દિવસની આદિવાસી સમાજના તમામ લોકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી

      બિરસા મુંડાજી એ સ્વતંત્ર સેનાની અને દેશની આઝાદી માટે પોતાના જીવનનો બલિદાન આપનાર મહાન આદિવાસી નેતા અને જન નાયક હતા વાસદા તાલુકા ખાતે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે જનજાતિ નાયક ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતી હોય જે નિમિત્તે જનજાતિ કલ્યાણ આશ્રમ વાસદા દ્વારા બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતીને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો કાર્યક્રમ રાખી શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા સવારે 11:00 કલાકે જુના બસ સ્ટેશનથી નીકળી ગાંધી મેદાન આગળ સરદારજીની પ્રતિમાને ફૂલહાર ચઢાવી સરદાર બાગ ખાતે સમાપન કરવામાં આવી હતી

TODAY 9 SANDESH NEWS.    અમિત મૈસુરીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here