વાંકલ: માંગરોળ તાલુકાના વેરાકુઈ ખાતે જલારામ જયંતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. વેરાકૂઈ ગામ ખાતે 40વર્ષ વધુના સમય થી જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

વાંકલ: માંગરોળ તાલુકાના વેરાકુઈ ખાતે જલારામ જયંતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. વેરાકૂઈ ગામ ખાતે 40વર્ષ વધુના સમય થી જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.


માંગરોળ તાલુકાના વેરાકુઈ ખાતે જલારામ જયંતિ મહોત્સવ ની ઉજવણી કરાતા ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. કોરોના ના બે વર્ષ બાદ જલારામ જયંતિ ની આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. વેરાકુઇ ગામ વાંકલ થી સાત કિમી દૂર આવેલું છે. આજુબાજુ ના ગામના લોકો મોટી સંખ્યામાં ભકતજનો ઉમટી પડ્યા હતા. ભકતજનો એ જલારામ બાપાના દર્શન કર્યાં હતા અને મહાપ્રસાદી નો લાભ લીધો હતો. આ તકે વેરાકુઈ ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિબેન મૈસુરિયા, જલારામ મંદિરના સ્થાપક સ્વ. નાનુભાઈ ગામીત ના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિક ભક્તો એ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટ: વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો                 

વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો ધર્મ પ્રેમી નગરી વાંસદામાં રામાનંદજી મહારાજ ની ધૂણી ગઢીધર્મશાળામાં આવેલી છે તે જગ્યાએ રાજા રજવાડાના…

બ્રહ્મ કમળ. સોમવાર નાં પ્રથમ દિવસે દુર્લભ અદભુત પાવિત્ર બ્રહ્મ કમળ ખીલ્યું.

પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર નાં દીને સંધ્યા સમયે ખીલ્યું બ્રહ્મ કમળ. વર્ષ માં એકવાર શ્રાવણ માસમાં જ આ દુર્લભ પવિત્ર બ્રહ્મ કમળ નાં ભાગ્યે જ દર્શન થાય છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!