વાંસદા ખાતે જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી.

વાંસદા ખાતે જન ઔષધી દિવસની ઉજવણી કરવા માં આવી.

8મી જન ઔષધી દિવસ નિમિત્તે વાંસદા તાલુકાના ટાવર પાસે IRCS વાંસદા તાલુકા ટીમ તથા જન ઔષધી સ્ટોર – કોટેજ હોસ્પિટલ વાંસદાના સંયુક્ત આયોજનથી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.


આ કાર્યક્રમમાં સ્થાનિક દુકાનદારો તથા નાગરિકો મળીને 150થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન PMBJK જન ઔષધી દવાઓના લાભ, સસ્તી કિંમત અને ગુણવત્તાયુક્ત જનરિક દવાઓના ઉપયોગ અંગે માહિતી ત્યાના ફાર્માસિસ્ટ અક્ષીલ માહલા દ્વારા આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન રેડક્રોસના સભ્યો સેક્રેટરી પ્રધુમનસિંહ સોલંકી, ટ્રેઝરર હિનેશ ભાવસાર , નટુભાઈ પંચાલ, ધર્મેન્દ્રસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ પરમાર, ધર્મેશ પુરોહિત, આરિફ અવારી, દિલીપ પરેખ, મગનભાઈ પટેલ,THO પ્રમોદભાઈ, ડો. દીપિકા થોરાત હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ટીમ દ્વારા સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા કરી જન ઔષધી દવાઓ દ્વારા આરોગ્ય ખર્ચ ઘટાડવામાં કેવી રીતે મદદ મળે છે તેની માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમ રેડક્રોસ વાંસદા તાલુકા ટીમના સહકારથી સફળતાપૂર્વક યોજાયો હતો.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા.

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

બીલીમોરા ખાતે શાંતિનગર ટાઉનશીપ સ્ટેશન રોડ યોગ શિબિર નુ આયોજન.

બીલીમોરા ખાતે શાંતિનગર ટાઉનશીપ સ્ટેશન રોડ યોગ શિબિર નુ આયોજન હંસાબેન સોલંકી તથા લોપા દેસાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ. ઉપરોક શિબિરમાં પ્રીતિ પાંડે ડીસી તથા ગાયત્રીબેન તલાટી ઝોન કોર્ડીનેટર…

વાંસદા ખાતે ભવ્ય આયુષ મેળો યોજાયો,જેમાં કુલ ૫૬૮ લાભાર્થીઓએ લાભ લીધો

વાંસદા ખાતે ભવ્ય આયુષ મેળો યોજાયો,જેમાં કુલ ૫૬૮ લાભાર્થીઓએ લાભ લીધો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય,નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!