વાંસદા શાખા ઇંડિયન રેડ ક્રોસનાં સહયોગથી સરકારી પુસ્તકાલય (જૂની મામલતદાર કચેરી) ખાતે જરૂરિયાતમંદ લોકોને વ્હીલચેર નું વિતરણ શ્રીમંત મહારાજા સાહેબ જયવીરેન્દ્રસિંહજી  સોલંકી નાં વરદ હસ્તે કરવામાં આવ્યુ.

ઇંડિયન રેડ ક્રોસ વાંસદા શાખા નાં સહયોગથી તા. 07/10/2025 ને મંગળવારનાં રોજ સરકારી પુસ્તકાલય (જૂની મામલતદાર કચેરી) ખાતે જરૂરિયાતમંદ લોકોને વ્હીલચેર નું વિતરણ શ્રીમંત મહારાજા સાહેબ જયવીરેન્દ્રસિંહજી સોલંકી નાં વરદ હસ્તે કરવામાં આવ્યુ.

આ પ્રસંગે શ્રીમંત મહારાજા સાહેબે પુસ્તકાલય ની કામગીરી નિહાળી તથા પુસ્તકાલય ના કર્મચારી તથા સભ્યો, વાચકો સાથે પુસ્તકાલયના વિકાસ બાબતે ચર્ચા કરી હતી. તેમજ વિઝિટિંગ બુક માં નોંધ લખી હતી.60 જેટલા વિધાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

.આ પ્રસંગે ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી વાંસદા ના સેક્રેટરી પ્રદ્યુમન સિંહ સોલંકી, નટુભાઈ પંચાલ મહેન્દ્ર સિંહ પરમાર, પટવર્ધન સિંહ સેગાર, એરિક અવારી, દરયાસ મિર્ઝા, ધર્મેશ પુરોહિત તથા દિલીપ પારખ, વસંત પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

આવકાર પ્રવચન ગ્રંથપાલ પ્રકાશભાઈ દ્વારા તથા આભારવિધિ પૂનમ બેન દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મહેન્દ્રસિંહ પરમારે કર્યું હતું.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા હનુમાનબારી ગામે જી.નવસારી શ્રી સર્વોદય રોહિત સમાજ સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકામાં હનુમાનબારી ગામે શ્રી સર્વોદય રોહિત સમાજ જિલ્લા નવસારી સંસ્થા તરફથી વાંસદા મુકામે યોગેશભાઈ દેસાઈ ના ઘરે વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 43 વિદ્યાર્થીઓને 490 નોટબુક…

વાંસદા જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપાસનો કેમ્પ યોજાયો.

જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપસનો કેમ્પ યોજાયો. મોજે. નાનીભમતી ભરતનાથ મહાદેવ (શંકરગીરી મહારાજ) મંદિરે મફત આંખની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ૨૧૫ જેટલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!