વાંસદા તાલુકા ના સીણધઈ ગામે વાવાઝોડાથી પ્રભાવિત પરિવારોને અનાજની કીટ, નવા કપડાં, સાડીઓ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ દંડકવન આશ્રમ દ્વારા સેવા

વાંસદા તાલુકા ના સીણધઈ ગામે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં દંડકવન આશ્રમની સેવા સીણધઈ – વહેવલ ગામે અનાજ કીટ, કપડાં અને નોટબુક્સનું વિતરણ અનાજની કીટ, નવા કપડાં, સાડીઓ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ સીણધઈ તથા વહેવલ ગામે આવેલ વાવાઝોડા પછી પ્રભાવિત પરિવારોને સહાયરૂપ થવા શ્રી સદગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ દ્વારા વિશાળ સેવાકાર્ય હાથ ધરાયું.

આશ્રમ દ્વારા પ્રભાવિત પરિવારોને અનાજની કીટ, નવા કપડાં, સાડીઓ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું. આપત્તિના સમયમાં હંમેશની જેમ દંડકવન આશ્રમ સેવાભાવે સમાજની સાથે ઉભું રહ્યું.આ કાર્યમાં ગુજરાત વિહંગમ યોગના રાષ્ટ્રીય સંત શ્રી રામવૃક્ષદાસજી, ટ્રસ્ટી શ્રી વિજયભાઈ પટેલ, તેમજ પાલ ગામના ગુરુભાઈઓ અને બહેનોએ સક્રિય સહભાગીતા આપી.દંડકવન આશ્રમ હંમેશા “દયા કરે સબ જીવ પર, ઊંચનીચ નહિ જાન” આ સદગુરુના મંત્રને જીવનમાં ઉતારીને સેવાકાર્ય માટે અગ્રેસર રહ્યું છે અને આવનારા સમયમાં પણ સમાજના દરેક વર્ગ સુધી સેવા પહોંચાડતું રહેશે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સહયોગથી ધાબળા વિતરણ નો કાર્યક્રમ યોજાયો.

કેળકચ્છ ગામે ભારત સેવાશ્રમ સંઘ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સહયોગથી ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી.

વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી. વાંસદા ના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય વગ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!