વાંસદા તાલુકા ના સીણધઈ ગામે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં દંડકવન આશ્રમની સેવા સીણધઈ – વહેવલ ગામે અનાજ કીટ, કપડાં અને નોટબુક્સનું વિતરણ અનાજની કીટ, નવા કપડાં, સાડીઓ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ સીણધઈ તથા વહેવલ ગામે આવેલ વાવાઝોડા પછી પ્રભાવિત પરિવારોને સહાયરૂપ થવા શ્રી સદગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ દ્વારા વિશાળ સેવાકાર્ય હાથ ધરાયું.
આશ્રમ દ્વારા પ્રભાવિત પરિવારોને અનાજની કીટ, નવા કપડાં, સાડીઓ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું. આપત્તિના સમયમાં હંમેશની જેમ દંડકવન આશ્રમ સેવાભાવે સમાજની સાથે ઉભું રહ્યું.આ કાર્યમાં ગુજરાત વિહંગમ યોગના રાષ્ટ્રીય સંત શ્રી રામવૃક્ષદાસજી, ટ્રસ્ટી શ્રી વિજયભાઈ પટેલ, તેમજ પાલ ગામના ગુરુભાઈઓ અને બહેનોએ સક્રિય સહભાગીતા આપી.દંડકવન આશ્રમ હંમેશા “દયા કરે સબ જીવ પર, ઊંચનીચ નહિ જાન” આ સદગુરુના મંત્રને જીવનમાં ઉતારીને સેવાકાર્ય માટે અગ્રેસર રહ્યું છે અને આવનારા સમયમાં પણ સમાજના દરેક વર્ગ સુધી સેવા પહોંચાડતું રહેશે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
