ન્યાયની સાથે કુદરતના સંરક્ષણનો શુભ સમન્વય
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વાંસદા તાલુકા કોર્ટ પરિસરમાં વિશેષ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો ઉદેશ્ય ન્યાયાલય કર્મચારીઓ, વકીલ મંડળ તથા નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના ઊભી કરવાનો છે.
કાર્યક્રમનો પ્રારંભ વાંસદા તાલુકા સેવા સમિતિના અધ્યક્ષશ્રી તથા મુખ્ય સીવીલ જજ સાહેબશ્રી આર. આર. બારીયા નાઓના વરદ હસ્તે કરવા માં આવ્યો હતો.
રીપોર્ટ -અમિત મૈસુરીયા