
વાંસદા તાલુકાના વાંસદા કુમાર શાળામાં રણછોડ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ નું આયોજન બાલવાટિકા ના ભૂલકાંઓ તેમજ 8 થી 12 ના જરૂરિયાત મંદ બાળકો માટે રાખવામાં આવ્યું હતું .

રણછોડ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ડૉ.જીતેન્દ્રભાઈ પટેલ, મંત્રી ચુનીભાઈ પટેલ , ફિલ્ડ કન્વીનર રસિકભાઈ સુરતી દ્વારા કુમાર શાળા વાંસદામાં વડલી પ્રા શાળા , વાંસદા કુમાર શાળા,વાંસદા કન્યા શાળાના ના બાલવાટિકામાં પ્રવેશ પાત્ર તમામ બાળકોને શૈક્ષણિક કીટ તથા જરૂરિયાત મંદ ગામના ધોરણ 8 થી 12 ના બાળકો નોટબુક અને બોલપેન વગેરે નું વિતરણ કરવામાં આવ્યું હતું .
આ કાર્યક્રમમાં ગામના સરપંચ ગુલાબભાઈ પટેલ , શાળાના શિક્ષણવિદ્ એવા પ્રદૂમનસિંહ સોલંકી, એસ. એમ.સી અધ્યક્ષ, અસ્પાકભાઈ પઠાણ, પ્રીતિબેન શર્મા સામાજિક કાર્યકર, પ્રજ્ઞાબેન દેસાઈ સામાજિક કાર્યકર , કુમાર શાળા ના આચાર્યા હિનાબેન જોષી ,કન્યાશાળાના આચાર્ય ભરતભાઈ પટેલ ,કન્યા શાળા અને કુમાર શાળા ના શિક્ષક સ્ટાફ , પત્રકાર વગેરે હાજર રહી બાળકોને પ્રોત્સાહન આપ્યુ હતું.કાર્યકમનું સંચાલન મગનભાઈ ગાવિત, અને અંતે ભરતભાઈ પટેલે આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
