વાંસદા તાલુકાના ખાટા આંબા ગામ માં આશરે ૧૬.૭૦ લાખના વિવિધ કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું.

પાંચ માર્ચ 2024 ના રોજ ખાટા આંબા ગામમાં વિવિધ આશરે ૧૬.૭૦ લાખના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું. ખાટા આંબા ગામે વિવિધ રસ્તા નો ખાતમુર્હુત, સ્કૂલ નો શેડ , શૌચાલય તેમજ બોરનું ખાતમુર્હુત કરવામાં આવ્યું. ગામમાં ડુંગળી ફળિયાના સ્મશાન નો રસ્તો 2.5 લાખના ખર્ચે, લાલજીભાઈ ના ઘર પાસે પેવર બ્લોક નું કામ એક લાખના ખર્ચે, અંબાપાડા બાગુલ ફળિયા નો રસ્તો 2.5 લાખના ખર્ચે, ખાટા આંબા મુખ્ય પ્રાથમિક શાળામાં સેડ પાંચ લાખના ખર્ચે, બાબુનિયા ફળિયા વર્ગ શાળામાં શૌચાલયનું કામ 1.71 લાખના ખર્ચે, મોટા પાડા ફળિયા માં બોર અને મોટર નું કામ એક લાખના ખર્ચે તથા બાબુનીય ફળિયા અને ચારમૂલી ભિસખડક ફળિયા નો રસ્તો ત્રણ લાખના ખર્ચે તૈયાર થયો હોય એમનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ચંદુભાઈ જાદવ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરુણભાઈ , વાંસદા વિધાનસભા સંયોજક ડૉક્ટર લોચન શાસ્ત્રી, વાંસદા વિધાનસભા વિસ્તારક બ્રિજિયંત પરમાર, તાલુકા પંચાયત સભ્ય યોગેશ દેસાઈ, પરસોતભાઈ, લાલજીભાઈ, ગામના સરપંચ શ્રી તથા ગામના શિક્ષકો તથા વડીલો હાજર રહ્યા હતા.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકા નું ચોંઢા ગામમાં સૂર્ય ઉર્જા દ્વારા નવી પહેલ, ગામડાંના લોકો અને ખેડુતો માટે વધૂ એક  સુવિધા.

વાંસદા તાલુકા નું ચોંઢા ગામમાં સૂર્ય ઉર્જા દ્વારા નવી પહેલ, ગામડાંના લોકો અને ખેડુતો માટે વધૂ એક સુવિધા ચોંઢા, નવસારી (ગુજરાત): વાંસદા તાલુકાના ચોંઢા ગામે ગ્રામ વિકાસ અને સૂર્ય ઊર્જાના…

જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો આજે નાણાં મંત્રી કનુભાઇ દેસાઈ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર સરકારની નાણાંકીય યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચાડવાની નેમ સાથે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો નાણાં મંત્રી કનુભાઇ દેસાઈ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યવ્યાપી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!