વાસદા સર્કિટ હાઉસ ખાતે આદિવાસી સેનાના સ્થાપના દિન પ્રસંગે આદિવાસી સેના દ્વારા સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

વાસદા

આદિવાસી સેનાના કાર્યકર્તાઓની હાજરીમાં ઉજવણી કરવામાં આવી અને તેમાં આદિવાસી સેનાની કેક કાપીને ઉજવણી કરવામાં આવી અને ત્યારબાદ આદિવાસી સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી અને તે મુજબ આદિવાસી સેનાની રેલી સવારે 8:00 કલાકે શ્રી ભગવાન બીસરા મુંડા મંદિર રુપવેલ મુકામ થી નીકળીને કંડોલપાડા લીમઝર ચીકટ્યા જામલીયા રાણી ફળિયા વાસદા ચંપાવાડી થી ભીનાર પાલગભાણ થઈને મહુવા તાલુકાના આંગળધરા કોષ અનાવલ લસણપોર ગાંગડીયા મુકામેથી ચીખલી તાલુકાના ખરોલી ધોળી કુવા રાનવેરી ખુદૅ વાંઝણા રાનકુવા થઈને સુરખાઈ શ્રીમતી શાંતાબા નારણદાસ પટેલ ધોડિયા સમાજ ભવન તા.ચીખલી જી.નવસારી ખાતે પહોંચીને આદિવાસી સેના દ્વારા બપોરે 12:00 કલાક બાદ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

આ સભામાં એક એક બિન રાજકીય સંગઠન હોવાથી આદિવાસી સેના દ્વારા ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી(ભા.જ.પા) કોંગ્રેસ પક્ષના શ્રીમતી સોનિયા ગાંધી અને આમ આદમી પાર્ટીના સંયોજક શ્રી અરવિંદભાઈ કેજરીવાલને આમંત્રણ આપેલ હોવાની માહિતી અપાઈ અને આદિવાસી સેના હવે પછી વિવિધ રાજકીય પક્ષ આદિવાસીઓ માટે શું કરવા ઈચ્છે છે તેની રૂપરેખા આ સ્નેહ સંમેલનમાં રજૂ કરે તેવી અપેક્ષા રાખે છે તે વિગતો જણાવવામાં આવી
આ કાર્યક્રમમાં આદિવાસી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ ડો. પંકજકુમાર પી. પટેલ ગુજરાત પ્રદેશ આદિવાસી સેનાના શ્રી ભીખુભાઈ ( અનાવલ), નવીનભાઈ (અસ્મા) કપરાડા તાલુકાના શ્રી ઝીપર ભાઈ વાંસદા તાલુકાના પ્રતિનિધિ શ્રીમતી રૂપાબેન આર. કુન્બી, શ્રીમતી કલ્પાબેન આર. પટેલ મહેન્દ્રભાઈ પટેલ (સાદકવેલ) ,ગણેશભાઈ નાયકા (વલસાડ), વિશાલભાઈ પટેલ (વાંસદા), કમલેશભાઈ (સુરત જિલ્લા),ગીતાબેન પટેલ (મહુવા) સહિત 50 થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા આનંદ તપોવન ના અધ્યક્ષ અને જાણીતા યોગાચાર્ય ડૉ.શંકરભાઈ પટેલ ને ફાઇનાન્સ કમિટી માં નિયુક્ત કરવા માં આવ્યા

ઇન્ડીયન યોગ એસોસિયેશન નવી દિલ્હી ના ગવર્નિંગ કાઉન્સિલ ના ચેરમેન શ્રી શ્રી. રવિશંકરજી ( આર્ટ ઓફ લિવિંગ) દ્વારા તારીખ ૨૬ જૂને મળેલ જનરલ બોડી મીટિંગ માં વર્ષ ૨૦૨૬- ૨૦૩૦ માટે…

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર.

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર. સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ તૂટી પડે તો કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા આચાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!