
કોઈપણ સ્મારકની સ્થાપના કરવી એ ગૌરવની વાત છે, પરંતુ તેની પવિત્રતા અને સફાઈ જાળવી રાખવી એ તેનાથી પણ મોટી જવાબદારી છે. ધરમપુર ચાર રસ્તા પર સ્થાપિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમા છેલ્લા ઘણા સમયથી ઉપેક્ષિત અવસ્થામાં હતી.
સ્થાપના કરનારાઓ કદાચ જાળવણી કરવાનું વિસરી ગયા હતા, ત્યારે આજે સમાજના જાગૃત યુવાનોએ આગળ આવીને પોતાની ફરજ નિભાવી છે.

આદિવાસી મંચના યુવાનોએ સાથે મળીને પ્રતિમાને દૂધ અને જળનો અભિષેક કરી, કેટલાક દિવસોથી જામી ગયેલી ધૂળ અને ગંદકી સાફ કરી હતી. અમારો નમ્ર સંદેશ છે કે —જય જોહર! જય આદિવાસી! જે જન નાયકોના નામે આપણે ગૌરવ લઈએ છીએ, તેમના સ્મારકો રસ્તા પર વિસરાઈ ન જાય તેનું ધ્યાન રાખવું એ આપણા સૌની નૈતિક ફરજ છે
.TODAY 9 SANDESH NEWS
રવિન્દ્ર મહાકાલ
