દશેરા અને નવરાત્રીના સમયમાં આંધ્રપ્રદેશના નલ્લોર સ્થિત ઐતિહાસિક વાસવી કન્યકા પરમેશ્વરી મંદિરને 5.16 કરોડ રૂપિયાથી શણગારવામાં આવ્યું

મંદિરની ભવ્ય સજાવટ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.એવું પ્રથમ વાર નથી થયું કે આ મંદિરને ચલણી નોટોથી શણગારવામાં આવ્યું હોય આ પહેલા પણ દશેરાના તહેવાર પર ચલણી નોટોથી શણગાર કરવામાં આવ્યો છે.વાસવી કન્યકા પરમેશ્વરી મંદિરની કમિટીએ સોમવારે દેવીને 5.16 કરોડની ચલણી નોટોનો શણગાર કર્યો છે. નોંધનીય છે કે 4 વર્ષ પહેલા જ મંદિરનું રીનોવેશન કરવામાં આવ્યું હતું જેનો ખર્ચ અંદાજિત 11 કરો રૂપિયા હતો. નલ્લોર શહેરી વિકાસ પ્રધિકરણના અધ્યક્ષ અને મંદિર કમિટીના સદસ્ય મુકકલા દ્વારકાનાથે જણાવ્યું કે, આ મંદિર 130 વર્ષ પ્રાચીન છે.વધુમાં જણાવ્યું કે ભક્તોના સહયોગથી દેવીને 7 કિગ્રા સોનુ અને 60 કિગ્રા ચાંદીથી સુશોભિત કરવામાં આવશે. હાલમાં અંદાજિત 100થી વધુ સ્વયંસેવકો દશેરાના પર્વને લઈ અહીં કામ કરી રહ્યા છે.મંદિરની સજાવટમાં રૂપિયા 10થી લઇ 2,000ની રંગ બેરંગી નોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચલણી નોટથી જ ગુલદસ્તા, ફૂલ અને ઝાલર વગેરે વસ્તુઓ બનાવવામાં આવી છે.

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદાના સાંઇ સરકાર ગૃપ ના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ધાર્મિક સંસ્કાર નું સિંચન નું પ્રમાણ.

વાંસદાના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ——– સાંઈ સરકાર ગ્રુપના 18થી 20 વર્ષના યુવાનો ચારધામ યાત્રા માટે રવાના; નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ કમલ સોલંકીએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી ——–…

વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.

દંડકવન આશ્રમ ખાતે 11 મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!