વાંકલ: મોટામિયાં માંગરોળની ગાદી ખાતે ઇદે મિલાદની ભવ્ય ઉજવણી

ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌહાર્દનો માહોલ સર્જાય તે માટે વિશેષ અભ્યર્થના કરાઇ

ચિશ્તીયા સિલસિલાની મોટામિયાં માંગરોલની મુખ્ય ગાદીએ ખાતે ઇદે મિલાદની કોમી એકતા ભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર બાલમુબારકની જિયારત પણ કરાવવામાં આવી હતી.

ડો. મતાઉદીન ચિશ્તી દ્વારા ઉપસ્થિત માનવમેદનીને પયગંબર સાહેબના જીવનબોધને પોતાના જીવનમા અપનાવવા હાકલ કરી હતી.

મોટામિયા માંગરોલ :દરગાહ કંપાઉન્ડમા મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના સુપુત્ર – અનુગામી ડો. મતાઉદીન ચિશ્તીની વિશેષ ઉપસ્થિતિમાં પયગંબર સાહેબના પવિત્ર બાલમુબારકની ઝિયારત અકીદતમંદોએ કરી તેમજ કોમી એકતા અને ભાઇચારા માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઇરફાન ભાઇ મકરાણી, ઇમરાનખાન પઠાણ, જાવેદભાઇ પઠાણ, આકીબભાઇ પઠાણ, સઇદભાઇ જીવા યામીનભાઇ કુરેશી, સોયબભાઇ રાવત, સલીમભાઇ સેગવા, સીરહાનભાઈ કડીવાલા, ફિરોઝભાઈ સહિત ભક્તસમાજના લોકો વગેરે જોડાયા હતા. આ પ્રસંગે ડો. મતાઉદ્દીન ચિશ્તી દ્વારા ઉપસ્થિત માનવમેદનીને પયગંબર સાહેબના જીવનબોધને પોતાના જીવનમા અપનાવવા હાકલ કરી હતી ઉપરાંત ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌહાર્દનો માહેલ સર્જાયે માટે વિશેષ અભ્યર્થના કરાઇ હતી.

વાંકલ માંગરોળ: રિપોર્ટ –વિનોદ મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ.

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ. ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટનાં મોહનગઢ ડુંગર પર આસુરા ગામનાં હદવિસ્તારમાં બિરાજમાન આદિવાસીઓના કુળદેવી માવલી માતાનાં…

વાંસદાના સાંઇ સરકાર ગૃપ ના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ધાર્મિક સંસ્કાર નું સિંચન નું પ્રમાણ.

વાંસદાના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ——– સાંઈ સરકાર ગ્રુપના 18થી 20 વર્ષના યુવાનો ચારધામ યાત્રા માટે રવાના; નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ કમલ સોલંકીએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી ——–…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!