વાંસદા સરકારી આયુર્વેદ દવાખાના ના સેવક કાંતિલાલ જીવણભાઈ પટેલ નો વિદાય સન્માન સમારોહ યોજવામા આવ્યો.

આજ રોજ સરકારી આયુર્વેદ દવાખાના વાંસદા ના સેવક કાંતિલાલ જીવણભાઈ પટેલ ની વય મર્યાદા ના કારણે સેવા પુર્ણ થતા દવાખાના ખાતે વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો.

સરકારી આયુર્વેદ દવાખાનુ વાંસદા 2010 થી શરૂ થયુ ત્યારથી સેવક તરીકે પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી.તેમના મિલનસાર સ્વભાવ ના કારણે દર્દીઓ પણ વિદાય સન્માન સમારંભમા હાજરી આપી પોતાની લાગણી વ્યકત કરી હતી

.ડૉ.નયનાબેન પટેલ દ્વારા નારિયેળ આપી શાલ ઓઢાડી નિવૃત જીવન માટે સદૈવ તંદુરસ્ત, નિરોગી અને સુખમયજીવન માટે શુભેચ્છા પાઠવવામાં આવી. આ પ્રસંગે ડૉ. ચિરાગ ડોબરિયા, વાંસદા તાલુકા ના તમામ આયુર્વેદ દવાખાનાના સેવકો તથા તેમના કુટુંબના સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર તમામનો ડૉ. નયનાબેન પટેલ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા ગ્રામ પંચાયત સફાઈ કર્મચારી નો સન્માન સમારંભ યોજાયો

જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા ગ્રામ પંચાયત સફાઈ કર્મચારી નો સન્માન સમારંભ યોજાયો ગ્રામપંચાયત ના પાયા ના કર્મચારી એવા સફાઈ કર્મીઓ કે જેઓ સંપૂર્ણ નગર સ્વચ્છ અને સુંદર રાખે છે સાથે…

જન જાતિ ગૌરવ યાત્રા – 2025 દરમિયાન વહેવલ ગામની રિદ્ધી પટેલનું સાંસદ ધવલભાઈ પટેલ ના હસ્તે સન્માન.

જન જાતિ ગૌરવ યાત્રા – 2025 દરમિયાન વહેવલ ગામની રિદ્ધી પટેલનું સન્માન આદિવાસી સમાજના પ્રેરણાસ્રોત અને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અવસરે સમગ્ર ગુજરાત રાજ્યમાં જન જાતિ ગૌરવ યાત્રા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!