
“સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત” ની થીસાથે ઉજવણી કરાઈ
વાંસદા તાલુકાના વાંસદા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ ના પ્રાર્થના – સાંસ્કૃતિક હોલમાં આચાર્યના માર્ગદર્શન હેઠળ “11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” નિમિત્તે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત” ની થીમ સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી.
જેમાં શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા તથા પ્રાથમિક વિભાગ સહિત તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા . વિશ્વ યોગ દિવસ ને સફળ બનાવવા , શાળા મંડળના ટ્રસ્ટીઓ , આચાર્યઓ , શિક્ષક મિત્રો પણ યોગાભ્યાસ કરી 21 મી જૂન વિશ્વ યોગ દિવસ ને ” સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત ” ના સંદેશાઓ આપ્યા હતા .
વરસાદના માહોલ વચ્ચે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા દરેક વિદ્યાર્થીઓને યોગાભ્યાસ નો લાભ મળે તેવું આયોજન વ્યાયમ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું
. શ્રી પ્રતાપ હાઈસ્કૂલ ના આચાર્ય જયદીપસિંહ પરમાર દ્વારા આ યોગ દિવસની ઉજવણીનો સંદેશ કે દરેક વિદ્યાર્થીઓ સ્વંયમ વ્યક્તિગત રીતે ‘સ્વસ્થ રહે અને નિરોગી રહે ‘ એ અંતર્ગત નિયમિત યોગ કરે અને અન્ય ને જોડે તેવો અનુરોધ કરવામાં આવ્યું હતું
અમિત મૈસુરીયા
TODAY 9 SANDESH NEWS
