વાસદા ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલીત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ખાતે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો.

ભારત સેવાશ્રમ સંઘ ગગપુર સંચાલીત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ગંગપૂર ખાતે ધોરણ કેજી બાલવાટિકા ધોરણ 1 તેમજ ધોરણ 9 અને 11 માં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ઊજવામાં આવ્યો હતો

આ પ્રસંગે અમદાવાદ થી રાહી ફાઉન્ડેશન ના પ્રણેતા જયેશ પરીખ તેમજ તેમના ધર્મપત્ની સંસ્થાના મુખ્ય દાતા મુંબઈ થી ચંદ્રકાંત જાદવ તેમજ ગણદેવી થી ચંદ્રકાંતભાઈ તેમજ રાગિણીબેન નવસારી થી ધર્મેશ કાપડિયા તેમજ રવિભાઈ ખત્રી તેમજ મુંબઈ થી કેતનભાઈ ઉપાધ્યાય એડવોકેટ મુંબઈ હાઈ કોર્ટ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના શ્રી હિતેશ ભંડારી ઉપસ્થિત રહ્યાં હતાં દાતા શ્રી દ્વારા વિધાર્થી મિત્રોને ટેક્ષબુક તેમજ નોટબુક તેમજ બોલપેન તથા શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી તેમજ નીતિનભાઈ શાહ યુ. એસ. એ. તેમના માતા પિતાના સ્મરણાર્થે શાળાને કુલ 3 ડિજિટલ બોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં તેમજ દાતાશ્રી ચંદ્રકાંત જાદવ થકી શાળાને સાઉન્ડ ક્લાસ રૂમ સ્પીકર સિસ્ટમ તેમજ એક ઓફિસ કોમ્યુટર આપવામ આવ્યું હતું તેમજ શાળાના ધોરણ 10 અને 12ના પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારને શીલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે સંસ્થાના મંત્રી સ્વામી શ્રી વિશ્વારૂપાનંદજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા તેમજ સંસ્થાના પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર શ્રી નિમિષ વ્યાસ ખાસ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં શાળાના ડાયરેક્ટર શ્રી કિશોર પટેલ તેમજ સંસ્થાના શ્રી ભાવેશભાઈ પટેલ રાજુભાઈ તેમજ શાળાના આચાર્ય શ્રી મણિલાલ પટેલ તેમજ પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી હિમ્મત ચૌહાણ એ સંસ્થા વતી તમામનો આભાર માન્યો હતો

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વલસાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકી દ્વારા સોનવાડા આશ્રમશાળા ખાતે 100 થી વધુ નાની મોટી બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું..

વલસાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકી દ્વારા સોનવાડા આશ્રમશાળા ખાતે 100 થી વધુ નાની મોટી બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું.. સોનલબેન સોલંકી દ્વારા ખરેખર એક સરાહનીય કાર્ય કરવામાં…

વાંસદા તાલુકાના કંડોલપાડા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

વાંસદા તાલુકાના કંડોલપાડા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગામ ના લોકો અને સ્કૂલ માં અભ્યાસ કરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!