મળતી માહિતી મુજબ પારડી તાલુકામાં આસમા ગામમાં લગભગ 30 વર્ષ જુનું તળાવ ના ખોદકામ બાબતે ગામજનો માં નારાજગી
અધિકારીઓ ને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યા યથાવત .
કોઈ અધિકારી સ્થળ તપાસ માટે આવ્યા નથી.આસમા ગામે તળાવમાં ખોદકામ અને પાણીનો નિકાલ કરવાથી ગ્રામજનો વિફર્યા . ગ્રામજનોને પાણીની સમસ્યા ભર ઉનાળે ઊભી થઈ સાથે હાલાકીનો સામનો કરવા લોકો મજબૂર બન્યા છે તળાવમાં પાણી ન હોવાથી ખેતી ના પાકને મોટું નુકસાન થવાની શક્યતા સાથે ઢોર ને પીવાના પાણીના ફાંફાં સાથે આજુબાજુના બોરના પાણીના જળસ્તર નીચા થવા જેવી અનેક તકલીફો નો સામનો કરી રહ્યા છે.
ગ્રામજનોનું કહેવું છે કે ખાલી તળાવમાં પાણી ભરાય અને જુનો ઠરાવ રદ કરી નવો ઠરાવ થવો જોઈએ ,જેવી માંગ ઉઠવા પામી છે. હવે જોવાનું એ રહ્યું કે ભર ઉનાળે. તળાવ માં પાણી ભરશે કોણ ? અને ખેડૂતો ની સમસ્યા દૂર કરશે કોણ ? કે પછી ગામજનો નો તળાવ ખોદકામ બાબતે વિરોધ યથાવત રહેશે.
અમિત મૈસુરીયા-