વાંસદા તાલુકામાં
ગણેશ ચતુર્થીનો તહેવાર માં સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ છૂટ છાંટ અપાતાં ભકતોમાં આનંદની લાગણી. જોવા મળી
![](https://www.today9sandesh.com/wp-content/uploads/2021/09/image_editor_output_image-684217848-1631418075927.jpg)
![](https://www.today9sandesh.com/wp-content/uploads/2021/09/image_editor_output_image-971076798-1631418137547.jpg)
કોરોના મહામારી ની પરિસ્થિતિ માં તહેવારો ફીકા પડેલ અને જયાં જુઓ ત્યાં શોકની લાગણીથી ઘેરાયેલું ભારતમાં ગણપતિ બાપાની પધરામણી થઈ અને સરકારશ્રીની કોરોના મહામારી ગાઈડ લાઈન મુજબ પરવાનગી મળતાં હાલમાં કોરોના ખોવાય ગયો હોય તેમ ભાવિક ભક્તોમાં ખુશી ની લાગણી જોવા મળી રહી છે આપણા દેશમાં ગણપતિ અને નવરાત્રી ના તહેવારમાં હિન્દુ સંગઠનો દ્વારા ઘણું પ્રાધાન્ય અપાઇ છે
જેથી આ તહેવાર ધૂમધામથી આનંદ ચૌદશ સુધી હર્ષો ઉલ્લાસથી ઉજવાય છે. અને સંગઠનો પણ જળવાઈ રહે વાંસદા નગરમાં નવ દુરગા ગણેશ મંડળ દ્વારા ટાવરથી મોલદાર લાઇન સુધી ,શિવ ગણેશ મંડળ અને વાંસદા નગરમાં તિલક ગણેશ મંડળ દ્વારા ટાવરથી ગણપતિ ના મંદિર સુધી શોભાયાત્રા નીકળી હતી. તાલુકાનાં આજુબાજુના ગામમાં ગણપતિ બાપાને વિધીવત પૂજા આરાધના કરી ગણેશજીની સ્થાપના કરાઈ હતી
દક્ષિણ ગુજરાત
અમિત મૈસુરિયા
TODAY 9 SANDESH NEWS