વાંસદા કુમાર શાળામાં શૈક્ષણિક કીટ વિતરણ કાર્યકમ યોજાયો


વાંસદા તાલુકાના વાંસદા કુમાર શાળામાં રણછોડ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ નું આયોજન બાલવાટિકા ના ભૂલકાંઓ તેમજ 8 થી 12 ના જરૂરિયાત મંદ બાળકો માટે રાખવામાં આવ્યું હતું .

રણછોડ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ડૉ.જીતેન્દ્રભાઈ પટેલ, મંત્રી ચુનીભાઈ પટેલ , ફિલ્ડ કન્વીનર રસિકભાઈ સુરતી દ્વારા કુમાર શાળા વાંસદામાં વડલી પ્રા શાળા , વાંસદા કુમાર શાળા,વાંસદા કન્યા શાળાના ના બાલવાટિકામાં પ્રવેશ પાત્ર તમામ બાળકોને શૈક્ષણિક કીટ તથા જરૂરિયાત મંદ ગામના ધોરણ 8 થી 12 ના બાળકો નોટબુક અને બોલપેન વગેરે નું વિતરણ કરવામાં આવ્યું હતું .

આ કાર્યક્રમમાં ગામના સરપંચ ગુલાબભાઈ પટેલ , શાળાના શિક્ષણવિદ્ એવા પ્રદૂમનસિંહ સોલંકી, એસ. એમ.સી અધ્યક્ષ, અસ્પાકભાઈ પઠાણ, પ્રીતિબેન શર્મા સામાજિક કાર્યકર, પ્રજ્ઞાબેન દેસાઈ સામાજિક કાર્યકર , કુમાર શાળા ના આચાર્યા હિનાબેન જોષી ,કન્યાશાળાના આચાર્ય ભરતભાઈ પટેલ ,કન્યા શાળા અને કુમાર શાળા ના શિક્ષક સ્ટાફ , પત્રકાર વગેરે હાજર રહી બાળકોને પ્રોત્સાહન આપ્યુ હતું.કાર્યકમનું સંચાલન મગનભાઈ ગાવિત, અને અંતે ભરતભાઈ પટેલે આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા હનુમાનબારી ગામે જી.નવસારી શ્રી સર્વોદય રોહિત સમાજ સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકામાં હનુમાનબારી ગામે શ્રી સર્વોદય રોહિત સમાજ જિલ્લા નવસારી સંસ્થા તરફથી વાંસદા મુકામે યોગેશભાઈ દેસાઈ ના ઘરે વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 43 વિદ્યાર્થીઓને 490 નોટબુક…

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું. ભ્રમદેવ મીત્ર મંડળ દ્વારા દર વર્ષે ની જેમ અખાજ ત્રીજ ની પૂજા ભ્રમદેવ મંદિરે કરવામાં આવે છે અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!