વાંસદા ખાતે “વિઝન લાઇબ્રેરી અને બુક સ્ટોર”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

વાંસદા ખાતે “વિઝન લાઇબ્રેરી અને બુક સ્ટોર”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

વાંસદા:
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આધુનિક તેમજ પ્રેરણાદાયક અભ્યાસનું માહોલ પૂરૂં પાડવા હેતુસર વાંસદા ખાતે “વિઝન લાઇબ્રેરી અને બુક સ્ટોર”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું।

કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે તાલુકા ભાજપ સંગઠન ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ તથા રાકેશભાઈ શર્માએ રિબીન કાપીને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ અવસરે તાલુકા પ.સભ્ય યોગેશભાઈ દેસાઈ અને હનુમાનબારી ગામના સરપંચ રાકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડો. લોચન શાસ્ત્રી (સંગઠન મહામંત્રી)એ પણ લાઇબ્રેરીની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

તેમજ ઉપસ્થિત ઉપરોક્ત મહાનુભાવો સરાહનિય કાર્યને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી
વિઝન લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે પર્સનલ ડેસ્ક, ફ્રી વાઇ-ફાઇ, એસી, ચાર્જિંગ પોઇન્ટ, શુદ્ધ પીવાનું પાણી જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો, ગ્રામજનો તથા વિદ્યાર્થીઓએ લાઇબ્રેરી સંચાલકોને ભાવિ વિકાસ માટે શુભકામનાઓ પાઠવી હતી.
વાંસદા ખાતે “વિઝન લાઇબ્રેરી અને બુક સ્ટોર”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

શિક્ષણ કમિશનર રુચિત રાજે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ ડીઈઓને તાકીદનો આદેશ કર્યો છે. – જેમાં સ્પષ્ટ જણાવામાં આવ્યું છે કે, ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ ખરેખર કોણ છે? તેમના એડમિશનની સ્થિતિ શું છે? શંકાસ્પદ શાળાઓની ગ્રાન્ટ કાપવા સુધીના કડક પગલાં લેવાની પણ તૈયારી દર્શાવાઈ.

અમિત મૈસુરીયા. TODAY 9 SANDESH NEWS

વાંસદા, તાલુકાના કંડોલપાડા ગામમાં આદરણીય શિક્ષક રણજીતસિંહજી પરમાર ના નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાંસદા, તાલુકાના કંડોલપાડા ગામમાં આદરણીય શિક્ષક રણજીતસિંહજી પરમાર ના નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત દિન પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓ એ‌ સાંસ્કૃતિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!