
વાંસદા તાલુકામાં આજરોજ થયેલ 27/9/2025 ના શનિવારના રોજ તાલુકા સંઘની ચૂંટણીમાં તાલુકા સંઘની બે પેનલે ઉમેદવારી કરી હતી….
વાંસદા તાલુકાના કુલ 824 શિક્ષક મતદારો માંથી 721 શિક્ષક મતદારો એ મતદાન કર્યું હતુ જેમાં નવસર્જન પેનલના પ્રમુખ ભરતભાઈ કાંતિલાલ થોરાત
ધાકમાળ પ્રાથમિક શાળા પ્રમુખ તરીકે વરણી થયા છે. ઉપ પ્રમુખ તરીકે ગિરીશ ભાઈ પટેલ શીંગાડ પ્રા .શાળા મહામંત્રી તરીકે જીગરભાઈ પરમાર કાંટસવેલ પ્રાથમિક શાળા સહમંત્રી તરીકે પ્રિતેશભાઈ પટેલ. ઉનાઇ પ્રાથમિક શાળા અને ખજાનચી તરીકે ગુમાનભાઇ પટેલ મનપુર પ્પ્રાથમિક શાળા ના શિક્ષકો વિજયી બન્યા છે…
વાંસદા તાલુકા ના તમામ શિક્ષકો એ પોતાના બધા ઓફિસ ના કામો સરળતા થી થાય અને એમને મળતા લાભો સમય સર મળી જાય એ ઉદેશ્ય સાથે નવસર્જન પેનલના મુખ્ય પદના ઉમેદવાર ભરતભાઈ થોરાત જંગી મતો થી વિજયી બનાવી વાંસદા તાલુકાનું સુકાન સંભાળવા આપ્યું છે..
અમિત મૈસુરીયા.
