વાંસદા તાલુકા નાં નાનીભમતી ગ્રામ પંચાયત ખાતે નવા ભવ્ય પંચાયત ભવન નું લોકાર્પણ.

લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસભેર અને વૈભવી રીતે ઉજવાયો.

ગામના વિકાસના દિશામાં એક નવા અધ્યાયની શરૂઆત કરતો આ પ્રસંગ માનનીય તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી દિપ્તીબેન પટેલના શુભ હસ્તે લોકાર્પણ કરીને નાનીભમતી ગામને અર્પણ થયો.આ કાર્યક્રમની અધ્યક્ષતાની ભુમિકા પણ દિપ્તીબેન પટેલે નિભવી હતી, અને તેઓએ ગામના લોકોએ આ ભવનનો ઉપયોગ જનહિત માટે વધુ ઉત્સાહપૂર્વક કરે એવી શુભેચ્છાઓ પાઠવી.

આ પ્રસંગે વિશેષ અતિથિ ન્યાય સમિતિ અધ્યક્ષ નવસારી બાપજુભાઈ ગાયકવાડ
તાલુકા પંચાયત ઉપપ્રમુખ માધુભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય યોગેશભાઈ દેસાઈ ભાજપ સંગઠનના મહામંત્રી ડૉ.લોચન શાસ્ત્રી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

ગ્રામ પંચાયતના સરપંચશ્રી શ્રી જીતુભાઈ આર. પટેલએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “આ ભવન માત્ર ઈમારત નથી, પણ દરેક નાગરિકના હક અને ઉત્કર્ષની જગ્યા છે.” તેમણે ગામના તમામ લોકો અને વિભાગોના સહયોગ બદલ આભાર માન્યો.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદાનો ઐતિહાસિક સરદાર બાગ નવીનીકરણ બાદ સમાજસેવી અબ્બાસ ચાચાની રૂ 80,000 ના કુલ 10 બાંકડાની ભેટ અર્પણ .

વાંસદાનો ઐતિહાસિક સરદાર બાગ : નવીનીકરણ બાદ સમાજસેવી અબ્બાસ ચાચાની રૂ. 80 હજારની ભેટથી સુશોભિત વાંસદા ગ્રામ પંચાયત સંચાલિત સરદાર બાગમાં સમાજસેવી તથા વાંસદાના આગેવાન અબ્બાસ ચાચા દ્વારા બાગની સુવિધાઓમાં…

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે વિવિધ વિભાગોના ભરૂચ જિલ્લાના કુલ ₹638 કરોડના 34 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે માર્ગ અને મકાન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, શિક્ષણ, રમત-ગમત અને આરોગ્ય સહિત વિવિધ વિભાગોના ભરૂચ જિલ્લાના કુલ ₹638 કરોડના 34…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!