વાંસદા તાલુકા ના રાયબોર ગામે પંડિત દીન દયાલ સસ્તા અનાજ ની દુકાન ની શરૂઆત કરાઇ

રાયબોર ગામમાં આગેવાનો એ હાજરી આપી

વાંસદા તાલુકા ના રાયબોર ગામે પંડિત દીન દયાલ સસ્તા અનાજ ની દુકાન આઝાદી ના વર્ષો પછી વાંગણ ગામ થી છૂટી પાડી રાયબોર પેટા તરીકે ચાલુ કરી અનાજ નુ વિતરણ કરવામાં આવ્યું

આ પ્રસંગે વાંસદા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી. શાંતુભાઇ ગાવિત. જિલ્લા પંચાયત સદસ્ય શ્રી બાપજુભાઈ ગાયકવાડ. આદિ જાતિ ના ઉપાધ્યાય અને માજી જિલ્લા. પં. ના ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ ગામીત. સાહેબ ના હસ્તે સસ્તા અનાજ ની દુકાન નુ ઓપનિંગ કરવામા આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી બાપજુભાઈ ગાયકવાડ એ જણાવ્યું કે પહેલા રાયબોર ગામ ના સ્થાનિક આગેવાનો એ મને રજુઆત કરી હતી કે આમારે રાસન લેવા માટે 12થી 15. કી. મિ.વાંગણ જવું પડે છે એમની રજુઆત ઘ્યાન મા લઈ રાજ્ય ના પુરવઠા મંત્રી શ્રી નરેશભાઈ પટેલ ને રજુઆત કરતા તાત્કાલિક જાહેરાત કરી કે રાયબોર ગામ ને સસ્તા અનાજ ની દુકાન પેટા તરીકે અલગ કરી આપવામાં આવી આ પ્રસંગે માનનીય મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ નો રાયબોર ગામ વતી ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો. આ પ્રસંગે મહેમાનો નુ ફુલ થી સ્વાગત કરવામાં આવ્યું અને તબબકે ગામ ના સરપંચશ્રી. જ્યંતિભાઈ બિરારી. ભા. જ. પા. ના કિસાન મોરચા ના મહામંત્રી શ્રી દલુભાઈ પાડવી. માજી સરપંચ શ્રી રમેશભાઈ ગાયકવાડ. તા. પં. સબ્ય. પરશુભાઈ. ડે સરપંચ સુરેશભાઈ પાડવી રામભાઈ. (માજી. ડે. સરપંચ શ્રી.જીતુભાઇ પાડવી. રાયબોર ગામ આગેવાન. મોતીરામભાઈ. ચન્દ્રકાન્તભાઈ. ભાનજુભાઈ.સોનુભાઈ. મગનભાઈ. હરસીંગભાઇ તેમજ દુકાન સંચાલક શ્રી ભાયલુભાઈ ગાવિત દલુભાઈ સિંગળમાળ તેમજ મોટી સંખ્યા મા ગ્રામજનો ભાઈ ઓ અને બહેનો હાજર રહ્યા હતા…..

અમિત મૈસુરીયા. TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. ભ્રષ્ટાચાર ને ઉજાગર કરવા માટે સંપર્ક કરો. ટુડે નાઇન સંદેશ ન્યુઝ TODAY 9 SANDESH NEWS today9sandesh23@gmail 6357031583 9974263350 www.today9sandesh.com

ભરૂચ કલેક્ટર ઓફિસ પાસે જ સીઝ કરેલી હાયવા ટ્રક લઈ ફરાર ભૂમાફિયા! કાયદાને કર્યો ખુલ્લો પડકાર કે તંત્રની મૌન સંમતિ?ભૂમાફિયાઓના હિંમતભર્યા કારનામા પર કોની મહેરબાની? તપાસ નો વિષય.

ભરૂચ કલેક્ટર ઓફિસ પાસે જ સીઝ કરેલી હાયવા ટ્રક લઈ ફરાર ભૂમાફિયા! કાયદાને કર્યો ખુલ્લો પડકાર કે તંત્રની મૌન સંમતિ?ભૂમાફિયાઓના હિંમતભર્યા કારનામા પર કોની મહેરબાની? તપાસ નો વિષય. રાત્રિના અંધકારમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!