
કુદરતી આપત્તિમાં માનવસેવાનું કાર્ય
કુદરતી આપત્તિના કપરા સમયમાં માનવસેવાના ભાવ સાથે વાંસદા તાલુકાનાં ઉપસળ ગામમાં જરૂરિયાતમંદ પરિવારોને 45 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ પાલભભાણ , કેળકચ્છ , ચિકારપાડા ગામમાં વરસાદથી અસરગ્રસ્ત અને નુકસાનગ્રસ્ત પરિવારોને ધાબળા તેમજ અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું.
આ સેવા કાર્ય લિરીલચંદ્ર સી. પટેલ દ્વારા કરવામાં આવ્યું, જેમાં જરૂરિયાતમંદ પરિવારો સુધી રાહત સામગ્રી પહોંચાડીને તેમના દુઃખમાં સહભાગી બનવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો.
“સેવા જ સંગઠન”ના સંકલ્પ સાથે માનવતાની ભાવનાથી જરૂરિયાતમંદોની સેવા એ જ સાચી સમાજસેવા છે. કુદરતી આપત્તિના સમયમાં પરસ્પર સહયોગ અને સેવા ભાવ સમાજને વધુ મજબૂત બનાવે છે.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
