વાસદા તાલુકા ના વનવિભાગ ના વિસ્તાર માં વધુ એક લાકડા ચોરી નો કિસ્સો સામે આવ્યો વનવિભાગે ગેર કાયદેસર ઝડપેલું લાકડું બીજા તાલુકા માં ઈટ ના ભટ્ટે કેવી રીતે વેચાયું?

વાંસદા તાલુકાના અંકલાછ વણઝારવાડી વિસ્તારમાં મહુડા ના ઝાડ અને અન્ય ઝાડ ની ગેરકાયદેસર રીતે કાપણી થઈ.
મહુડા ના ઝાડ કાપવા કોઈ પરવાનગી ન હોવાની માહિતી મળતા મીડિયા કર્મી દ્વારા અંકલાછ બીટ વનવિભાગ ની ચોકી એ ટેલિફોનીક તથા રૂબરૂ જઈ જાણ કરી હતી.

આ બાબતે અંકલાછ બીટ દ્વારા કાયદેસરની કામગીરી હાથ ધરી ખેડૂત ને દંડ ફટકાર્યો હતો. પરંતુ લાકડા ચોર ભાગી છૂટ્યા! લાકડા ચોર પર કેમ કોઈ કાર્યવાહી ન થઈ?જે લાકડાચોરે ઝાડ કાપ્યા હતા તે જ ઝાડ ના લાકડા વાહન માં ભરી માંડવખડક ગામમાં ઇંટના ભઠ્ઠા ના માલિક ને વેચ્યા. કોની પરવાનગી થી આ ગેરકાયદેસર કપાયેલા લાકડા વણઝારવાડી થી માંડવખડક ગામે ગયા.

શું ખેડૂત પર દંડ વસુલાત કરી કપાયેલા ઝાડ ને વનવિભાગ ના ડેપો માં જમા કરવા માં આવ્યું હશે? જો જમા થયા હોય તો સવાલ એ ઉભો થાય છે કે કપાયેલા ઝાડ ના લાકડા ઇંટના ભઠ્ઠે કોણે વેચ્યા? કોણ છે આ લાકડા ચોર કે વનવિભાગ માં જમા કરેલ ઝાડ ના લાકડાને પણ ઉપાડી ગયા.
આ જ મહુડાના ઝાડના લાકડા ઈંટ ના ભઠ્ઠે નજરે પડ્યા ત્યારે તાત્કાલિક અંકલાછ બીટ ના ઇન્ચાર્જ ફોરેસ્ટર રંજન ને ટેલિફોનીક જાણ કરવા વારંવાર ફોન લગાવવા છતાં મીડિયાકર્મી નો ફોન ન ઉપાડ્યો.
સવાલો ઘણા ઊભા થાય છે.શું અંકલાછબીટ ના જવાબદાર કર્મચારી ની લાકડાચોર સાથે મિલીભગત હશે ? જપ્ત કરેલ લાકડા અન્ય ગામ માં કેવી રીતે વેચાયા?

કોણે કાપ્યા અને કોણે વેચ્યા ખબર હોવા છતાં લાકડા ચોર પર રહમ નજર રાખવા માં આવી છે કેમ? વનવિભાગ પર શંકા ઉઠી છે.કારણ કે અંકલાછ બીટ ના ફોરેસ્ટર થી મીડિયા કર્મી નો ફોન ઉચકાતો નથી !

વનવિભાગના ઉચ્ચ અધિકારી જો આ બાબતે તપાસ હાથ ધરે તો ઘણી ગેરકાયદેસર લાકડાચોરી ઝડપાશે પરતું શું R.F.O કે D.F.O આ બાબતે તપાસ હાથ ધરશે કે કેમ? એ હવે જોવાનું રહ્યું.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદાના ગાંધીમેદાન ખાતે વર્લ્ડ મ્યુઝિક ડે નિમિત્તે સંગીત પ્રેમીઓ દ્વારા સ્વર્ગસ્થ જયકિશનજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની યાદ માં મધુર હિન્દી ગીતોની રજૂઆત કરીને ઉત્સાહભેર ઉજવણી કરી.

વાંસદાના સંગીત પ્રેમીઓ દ્વારા ગાંધીમેદાન ખાતે સ્વર્ગસ્થ જયકિશનજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની યાદ માં મધુર હિન્દી ગીતોની રજૂઆત કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તા. 21 જૂનના રોજ વર્લ્ડ…

વાંસદા ઉનાઈ થી સોશિયલ મીડિયા પર સસ્તી પબ્લિસિટી મેળવવા ઉનાઈ પવિત્ર યાત્રાધામને ચીરહરણ કરતી પોસ્ટ મુકાઈ સાથે વાંસદા પોલીસ ની છબી પર પણ ઉભા કર્યા સવાલ.???

વાંસદા ઉનાઈ થી સોશિયલ મીડિયા પર સસ્તી પબ્લિસિટી મેળવવા ઉનાઈ પવિત્ર યાત્રાધામને ચીરહરણ કરતી પોસ્ટ મુકાઈ સાથે વાંસદા પોલીસ ની છબી પર પણ ઉભા કર્યા સવાલ.??? —— પવિત્ર ઉનાઈ ધામને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!