——————————————–વાંસદા , 30
વાંસદા તાલુકા ના ગોધાબારી ગામે હનુમાન મંદિરે પ્રસિદ્ધ કથાકાર ભાસ્કર ભાઈ દવે ( ખેરગામ વાળા) ના સાનિધ્યમાં રામકથા નું ભવ્ય આયોજન કરવામાં છે રામકથા ૧ લી જૂન રવિવાર થી તા.૯ સોમવાર સુધી દરરોજ સાંજે ૭ :૩૦ થી ૧૦ કલાક ચાલશે રામકથાની ભવ્ય પોથીયાત્રા સંગીત સથવારે રવિવારે સાંજે સાત કલાકે બાબુભાઈ મગનભાઈ ગાયકવાડના નિવાસસ્થાનેથી નીકળી કથા સ્થળ હનુમાન મંદિરે જશે.
રામ કથા માં આવતા દરેક ઉત્સવો ભક્તિ ભાવ થી ઉજ્જવવામાં આવશે
રામકથા ના આયોજન થી સમસ્ત ગ્રામજનો અને આજુ બાજુ ગામના ભાવિક ભક્તો માં રામકથાના આયોજન થી લોકોમાં આનંદ ની લહેર ઊઠી છે ગામના આયોજકો સુનીલ ભાઈ થોરાટ,પટેલ ઠાકોરભાઈ,ચવધરી રસિકભાઈ,ગામીત રમેશભાઈ,રમેશભાઈ. જીવણભાઈ પાડવી સહિત ગ્રામજનો આ આયોજન ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે દરેક ભાવિ ભક્તો ને કથા માં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છે.અમિત મૈસુરીયા
વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.
દંડકવન આશ્રમ ખાતે 11 મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક…
