વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.

દંડકવન આશ્રમ ખાતે 11 મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે.
વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.

વિહંગમ યોગ સંત સમાજ દ્વારા વાંસદા તેમજ આજુબાજુના ગામોના તમામ ભક્તજનોને આ પવિત્ર પ્રસંગે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
તા. 16 એપ્રિલ, ગુરુવારના રોજ વાંસદા ગામે ગાંધી મેદાન થી દંડકવન આશ્રમ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં ઢોલ-નગારા સાથે ભક્તિમય માહોલ સર્જાશે તથા ફૂલોની પુષ્પવર્ષા દ્વારા આચાર્ય પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. સાંજે સંત શ્રી વિજ્ઞાન દેવજી મહારાજ દ્વારા દિવ્ય વાણી નું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 17 એપ્રિલ, શુક્રવારના રોજ સવારે 10:00 વાગ્યે 1100 કુંડીય વિશ્વ શાંતિ વૈદિક મહાયજ્ઞ યોજાશે. ત્યારબાદ સાંજે 5:00 વાગ્યે સંત શ્રી નામદેવજી મહારાજની સંતવાણી અને રાત્રે 10:00 વાગ્યે પરમ પૂજ્ય સદગુરુ શ્રી સ્વતંત્રદેવજી મહારાજ દ્વારા અમૃતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉત્સવ દરમિયાન દરરોજ સવાર-સાંજ નાસ્તો તથા બપોરે અને સાંજે મહાપ્રસાદની વ્યવસ્થા રહેશે.
આ પવિત્ર મહોત્સવનો લાભ લેવા માટે તમામ ભક્તજનોને વિનંતી છે કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવો.

સ્થળ: દંડકવન આશ્રમ, વાસિયા તળાવ, તા. વાંસદા, જી. નવસારી

TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે આપણા જીવન માં સાચો માર્ગ બતાવનાર ગુરુદેવ ને ગુરુપૂર્ણિમા ના શુભ દિને વંદન પ્રણામ.

TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ.

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ. ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટનાં મોહનગઢ ડુંગર પર આસુરા ગામનાં હદવિસ્તારમાં બિરાજમાન આદિવાસીઓના કુળદેવી માવલી માતાનાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!