પી.આઈ કિરણ પાડવીએ તાલુકા પંચાયત સભ્ય ગંગાબેન પટેલ, માજી ગ્રામ પંચાયત સભ્ય સુનીલભાઈ, હરદિપભાઈ તથા નાના બાળકો ની હાજરી માં વૃક્ષારોપણ કરયુ

પી.આઈ કિરણ પાડવી અને વાંસદા-૨ સીટનાં તાલુકા પંચાયત સભ્ય ગંગાબેન પટેલ તથા નાના બાળકોએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાંસદા ગામનાં પાટાફળીયા ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે પી.આઈ કિરણ પાડવીએ જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ કરવાની દરેક વ્યકતિની નૈતિક અને મૂળભૂત ફરજ છે. જો આપણે પર્યાવરણને નહીં બચાવીશું તો આગામી સમયમાં પ્રાકૃતિક આફતોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. વાંસદા-૨ સીટનાં તાલુકા પંચાયત સભ્ય ગંગાબેનને પટેલે જણાવ્યું હતું કે દરેક વૃક્ષની નાના બાળકોની જેમ કાળજી લેવી પડશે.તો જ વૃક્ષારોપણ ખરા અર્થમાં સાર્થક નીવડશે.આ પ્રસંગે પી.આઈ કિરણ પાડવી, તાલુકા પંચાયત સભ્ય ગંગાબેન પટેલ, માજી ગ્રામ પંચાયત સભ્ય સુનીલભાઈ, હરદિપભાઈ તથા નાના બાળકો હાજર રહ્યાં હતા.

અમિત મૈસુરીયા વાસદા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર.

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર. સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ તૂટી પડે તો કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા આચાર્ય…

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તા ની ઘણા વર્ષો થી બિસ્માર હાલત સ્થાનિકો ત્રાહિમામ.

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે — દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!