Watch “માંગરોળ વકીલ મંડળ માં પ્રમુખ પદ ની ચુંટણી યોજાતા અમિત શાહ વિજેતા” on YouTube

વાંકલ : માંગરોળ તાલુકા મથકે માંગરોળ બાર એસોસિએશન(વકીલ મંડળ) ની ચૂંટણી યોજાય. માંગરોળ વકીલ મંડળ હોદ્દેદારો ની ચૂંટણી માં ભારે રસાકસી જામી હતી. એડવોકેટ અમિત શાહ નો એક મતે વિજય થયો.


માંગરોળ બાર ના ચૂંટણી કમિશનર તરીકે બી.બી.ઘડિયા ના અધ્યક્ષતા માં ચૂંટણી યોજવામાં આવી હતી.
પ્રમુખપદ માટે હરેન્દ્રસિંહ પરમાર અને અમિત શાહે ઉમેદવારી નોંધાવી હતી જેમાં ભારે રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો. કુલ મતદાન 48 હતા તેમાંથી બે મત કેન્સલ થયા હતાં. એડવોકેટ અમિત શાહને 24 મત મળ્યા હતા. જ્યારે હરેન્દ્રસિંહ પરમાર ને 23 મત મળ્યા હતા. અમિત શાહને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.


સેક્રેટરી પદ માટે શકીલ કડીવાલા અને અભિષેક આર્ટિસ્ટે ઉમેદવારી નોંધાવી હતી. શકીલ કડીવાલા ને 31મત જ્યારે અભિષેક આર્ટીસ્ટ ને 16મત મળ્યા હતા. શકીલ કડીવાલા ને વિજેતા જાહેર કરાયા હતા.જ્યારે ઉપપ્રમુખ પદ માટે મીનાક્ષી મહીડા તેમજ જોઇન્ટ સેક્રેટરી માટે મિતેષ રણા સામે કોઈએ ઉમેદવારી ન નોંધાતા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. અમિત શાહ અને શકીલ કડીવાલા એ સૌ વકીલ મંડળ નો આભાર માન્યો હતો.

રીપોર્ટ -વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર.

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર. સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ તૂટી પડે તો કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા આચાર્ય…

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તા ની ઘણા વર્ષો થી બિસ્માર હાલત સ્થાનિકો ત્રાહિમામ.

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે — દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!