અંબુજા સિમેન્ટ વલસાડ બ્રાન્ચ દ્વારા ધરમ સિમેન્ટ ઉનાઈ ખાતે ગ્રાહક માર્ગદર્શન સેમિનાર અને કેમ્પ યોજવામાં આવ્યો.
વાંસદા તાલુકાના આજુબાજુના લોકો પોતાનું ઘર મજબૂત કેવી રીતે બનાવી શકે અને મકાન બાંધકામમાં વપરાતા દરેક દરેક મટીરીયલ કઈ રીતે એની ગુણવત્તાની ચકાસણી કરવી અને એ ઉચ્ચ ગુણવત્તાનું મટીરીયલ કેવી રીતે આપણે પોતાના મકાનમાં વાપરવું જોઈએ જેથી કરીને એક સરસ અને ટકાઉ મકાન લાંબા સમય સુધી રહી શકે. આપનું મકાન મજબૂત બનાવી શકે તે માટેનું માર્ગદર્શન અંબુજા સિમેન્ટના એન્જિનિયર અને ટેકનિકલ ઓફિસર્સ દ્વારા આપવામાં આવી હતી.જેમાં ૧૫થી પણ વધારે મકાન બનાવનાર મિત્રો અને બહેનો હાજર રહ્યા હતા.
કંપની દ્વારા ઉનાઈ ખાતે ગ્રાહક માર્ગદર્શન કેમ્પ રાખવામાં આવેલ હતો જેનો 100થી વધારે લોકોએ લાભ લીધો હતો. તથા આ સેવાથી લોકો પ્રભાવિત થયાં હતા.દરેક ગ્રાહકોએ આ સેવાને બિરદાવી હતી અને આ ખુબ જ ઉપયોગી માહિતી આપવા બદલ અંબુજા સિમેન્ટ કંપની નો આભાર માન્યો હતો.
અમિત મૈસુરીયા TODAY 9 SANDESH NEWS