
વાંસદા વકીલ મંડળ દ્વારા મેં. વાંસદા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી વાંસદા માં આવેલ મારુતિ ઝેરોક્ષ સી. એસ. સી. સેન્ટર ના માલિક સજ્જન વૈષ્ણવ દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી સ્ટેમ્પ પેપર ની કાળા બજાર ,સ્ટેમ્પ પેપર ની નિયત રકમ કરતા વધુ રકમ ની માંગણી તથા પોતાને જ નોટરીનું કામ આપે તો સ્ટેમ્પ આપવાની દાદાગીરી સામે આવેદન પત્ર આપવામાં આવ્યું.
જેમાં મારુતિ ઝેરોક્ષ સી. એસ. સી. સેન્ટરના માલિક પર કાયદેસર ની કાર્યવાહી તથા તેમનું સી. એસ. સી. સેન્ટરનું લાઇસન્સ રદ કરવા માટે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.

જેમા વકીલ મંડળના પ્રમુખ સંજય અને. પટેલ તથા સિનિયર એડવોકેટ ભરત દાશોંદી, પ્રદ્યુમન સોલંકી, રાજેશ ગાંધી, જસવંત એ. પટેલ , રમણ વી. પટેલ, જયશ્રીબેન પટેલ, અંજુબેન ગાયકવાડ તથા વકીલ મંડળના પચાસથી વધુ એડવોકેટ હાજર રહ્યા હતા.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા.
