
ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગ થી વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગથી વસ્ત્ર વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે સંસ્થાના સુરત શાખા ના સ્વામી અબ્રિશાનંદ નંદજી મહારાજ સયુંકત સચિવશ્રી આંતરાષ્ટ્રીય ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર શાખાના સ્વામીશ્રી વિશ્વરૂપાનંદજી મહારાજ પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના નારાયણ ગંગવાણીજી તેમજ નંદકિશોરજી તેમજ રાહુલ ગંગવાણી તેમના સાથી મિત્રો તેમજ મુંબઈ થી પધારેલ દાતાશ્રી ચંદ્રકાંત જાદવ તેમજ યોગેશ જાદવ તેમજ રવિભાઈ ખત્રી સંસ્થા ના પ્રોજેક્ટ ડાયરેક્ટર નિમિષ વ્યાસ ડાયરેક્ટર કિશોર પટેલ માધ્યમિક શાળા ના આચાર્ય મણિલાલ પટેલ પ્રાર્થમીક શાળાના આચાર્ય હિમ્મત ચૌહાણ કેમ્પસ ડાયરેક્ટર ભાવેશ પટેલ તેમજ મુંબઈ થી પધારેલ મહિલા મંડળ ની બહેનો એ ભાગ લીધો હતો કાર્યક્રમ ની શરૂઆત માં ગૌ શાળામાં હવન પૂજા રાખવામાં આવી અને ગાયો ની પુજા કરવામાં આવી હતી
ત્યારબાદ શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ના પ્રાંગણ માં વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કુલ 1000 સાડી તેમજ શર્ટ નું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1500 લાભાર્થીઓ એ પ્રસાદી નો લાભ લીધો હતો તેમજ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળાના શિક્ષક ટ્વિંકલ ભાઈ તેમજ કલ્પેશભાઈ તેમજ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાનો તમામ સ્ટાફ ખૂબ જેહમત ઉઠાવી હતી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા.
