વાંસદા ગાંધીમેદાન ખાતે શંકર–જયકિશન સંગીતકાર ની જોડીમાંથી મહાન સંગીતકાર જયકિશનજીની 54મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ થયો.

વાંસદા ખાતે આવેલ જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન વાંસદા -દ્વારા આજે મહાન સંગીતકાર જયકિશન ડાહ્યાભાઈ પંચાલજીની પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્મારક પ્રતિમા પાસે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમ્યાન જયકિશનજીના અમર સર્જનાત્મક ગીતો ગુંજતા થતા સમગ્ર વાતાવરણ સંગીતમય બન્યું હતું.

આ અવસરે ગામના આગેવાન તથા સંગીત રસ્યા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ફાઉન્ડેશનના સભ્યો મહેશભાઈ પટેલ, મયુરભાઈ પારેખ, નીરજભાઈ પારેખ, હરદીપભાઇ સગર, પ્રીતિબેન પારેખ, મિત્તલબેન ગરાસિયા તથા ગામના અગ્રણી નટુભાઈ પંચાલ, પદ્યુંમનસિંહ સોલંકી હાજર રહ્યા હતા. ઉપરાંત સુરતથી વિશેષ પધારેલ રાજેશભાઈ પટેલે પણ ઉપસ્થિતિ દર્શાવી હતી.

આ શ્રદ્ધાંજલિ પ્રસંગે સૌએ જયકિશનજીના અવિસ્મરણીય સંગીતકાર્યને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા – વાંસદા 6357031583

Whatsap No. 9974263350

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

શ્રદ્ધાંજલિ

આપની હયાતી અમારી પ્રેરણા હતી આપના આદર્શ અમારા માર્ગદર્શન હતા આપનું સાદગીભર્યું જીવન, ઉચ્ચ વિચારો,માયાળુ સ્વભાવ,લાગણી – શીલતા અમોજીવન ભર ભૂલશું નહિ. : પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી…

વાંસદા તાલુકાના વાંગણ ગામે ગામના સ્થાનિક લોકોએ દ્વારા પોતાના પિતૃઓનું સમૂહ માં શ્રાદ્ધ ક્રિયા કરી.

વાંગણ ગામે,(ગહવાડ ફ.) મા નદીના કિનારે પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવ્યું. વાંસદા તાલુકાના વાંગણ ગામે ગામના લોકોએ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું. મહારાજ ના માર્ગ દર્શન હેઠળ દર વર્ષ ની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!