વાંસદા પોલીસ સ્ટેશન તરફ થી સિનિયર પી.એસ. આઇ વિરેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વાંસદા ટાઉનહોલ ખાતે ચૂંટણી ના તમામ ઉમેવારો ની મિટિંગ કરી જરૂરી સૂચના અપાઇ

વાંસદા તાલુકા  ગ્રામ પંચાયતની ચુંટણી   માં    આગામી તા.૧૯/૧૨/૨૦૨૧ ના રોજ   ૬૫ ગામના સરપંચોની ચુંટણી યોજનાર છેે.જે અનુસંધાને વાંસદા ટાઉન હોલ ખાતે કલાક-૪/૦૦ થી કલાક-૫/૫૦ સુધી એક તબક્કામાં ૩૦ ગામના સરપંચો તથા તેઓની પેનલના વોર્ડના સભ્યોની મીટીંગ લેવામાં આ વી હતી.

જેમાં ૬૦ સરપંચના ઉમેદવારો તથા ૮૦ થી ૮૫ જેટલા  વોર્ડ સભ્યો હાજર રહેલ હતા હાજર રહેલ તમામને વાંસદા પોલીસ વડા દ્વારા સુચના આપી સમજાવેલ કે, આદર્શ આચાર સહીતાનું ચુસ્ત પણે પાલન કરી અને ન્યાયીક રીતે ચુંટણી ની કાર્ય પુર્ણ કરવાનું રહેશે. અગાઉનું કોઇ વૈમનસ્ય રાખવું નહી. અને એખલાસ ભર્યા વાતાવરણમાં ચુંટણી યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતીને ખાસ ધ્યાને રાખવું. કોઇ પણ બનાવ બને તો ચુંટણી અધિકારીશ્રી તથા  પોલીસ ને પણ જાણ કરશો. તેવી સમજ આપી પહેલા તબક્કાની મીટીંગ પૂર્ણ કરેલ હતી. ત્યાર બાદ કલાક-૫/૦૫ થી સાંજે ૬/૦૦ વાગ્યા સુધી બીજા તબક્કાની મીટીંગ યોજવામાં આવી. જેમા ૨૮ ગામના સરપંચના ઉમેદવારો આશરે ૬૦ થી ૬૫ જેટલા ઉમેેેેેેદવારો તથા ૭૫ થી ૮૦ જેટલા વોર્ડ સભ્યો હાજર રહ્યા હતા. હાજર રહેલ તમામને સુચના આપી સમજાવેલ કે, આદર્શ આચાર સહીતાનું ચુસ્ત પણે પાલન કરી અને ન્યાયીક રીતે ચુંટણી ની કાર્ય પુર્ણ કરવાનું રહેશે. અગાઉનું કોઇ વૈમનસ્ય રાખવું નહી. અને એખલાસ ભર્યા વાતાવરણમાં ચુંટણી યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થીતીને ખાસ ધ્યાને રાખવું. કોઇ પણ બનાવ બને તો ચુંટણી અધિકારીશ્રી તથા પોલીસ સ્ટેશન માં જાણ કરશો. તેવી સમજ આપી તમામ ગામના સરપ્ંચોને તથા વોર્ડ સભ્યો સાથે મીટીંગ શાંતીપૂર્વક  પૂર્ણ કરવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરિયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ચીખલી તાલુકાના ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા.

ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા. અંદાજે 3 કિ.મી.જેટલો રસ્તો સાંકડો હોવાથી રાહદારીઓ માટે પણ…

વાંસદા મોટી ભમતી ગામે અકસ્માતમાં નવા વળાંક? : તપાસ પર ઉઠ્યા ગંભીર સવાલ.? — શું મૃતક ના પરિવાર ને ન્યાય મળશે કે કેમ?

– “–સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ એવિડન્સ અને મોબાઈલ લોકેશનના આધારે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તો ગુનેગાર ને સજા અને મૃતક પરિવાર ને ન્યાય મળી રહેશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!