
વાસદા તાલુકાના ભીનાર ગામે શ્રી સર્વહીત ફાઉન્ડેશન તરફથી શ્રી સદગુરુ હાઇસ્કુલ માં વૃક્ષારોપણનો કાર્યક્રમ સાથે પ્રાકૃતિક ખેતી વિશે વિદ્યાર્થીઓ તથા શિક્ષક ગણને પ્રેરિત કરાયા.

શ્રી સર્વહીત ફાઉન્ડેશન તરફથી વિદ્યાર્થીઓને છોડ વિતરણ કરાયા સાથે આચાર્યશ્રી દિનેશભાઈ શિક્ષકશ્રી વિનોદભાઈ તથા સૌ શિક્ષકગણના હસ્તે વૃક્ષારોપણ કરાવ્યું હતું

શ્રી સર્વહીત ફાઉન્ડેશન અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ સાથે દેશના તમામ વિસ્તારમાં જઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરિત કરી તેમને અલગ અલગ ઋતુ પ્રમાણે નો પાક ની ખેતી કરવા તથા તમામ પ્રાકૃતિક પાકને ખરીદી કરવા ની શ્રી સર્વહિત ફાઉન્ડેશન ખાતરી આપે છે જેથી ખેડૂતોનો મોટો સવાલ એ પાકને વેચવા ક્યાં જઈશું એનું કાયમી નિરાકરણ થાય તે માટે કાર્યરત છે

આ સંસ્થાનું મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતી કરાવી રાસાયણિક ઝેરી પાકનું ઉત્પાદન માંથી મુક્ત કરી દેશના યુવા પેઢીને સ્વાસ્થ્ય જીવન મળે અને બીમારી મુક્ત ભારત રહે તે હેતુ સાથે ખેડૂત તથા આજની યુવા પેઢીને રોજગાર અપાવી પોતે સક્ષમ બને તે દિશામાં કામગીરી કરી રહી છે.

શ્રી સર્વહિત ફાઉન્ડેશનના પદાઅધિકારી રવિભાઈ મહાકાલ અમિતભાઈ મૈસુરીયા માનસિંગભાઈ પટેલ સાથે નર્સિંગ સ્ટુડન્ટ હિના વિશ્વકર્મા ગુંદની પટેલ દિવ્યા પટેલ નિશા વિશ્વકર્મા સાથે હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓ એ હાજરી આપી હતી.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા.
