
વાંસદા તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદ ને કારણે નદી -નાળા છલકાતા ધણા વિસ્તારોમાં પાણી ભરાયા. ભીનાર ગામના ડુંગરી ફળિયા વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યાને વારંવાર રજૂઆત કરવા છતાં નફફટ વહીવટી તંત્ર ના પાપે રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા લોકોએ દર વર્ષે મુશ્કેલી નો સામનો કરવા મજબૂર થવું પડે છે.
વાંસદા તાલુકાના ભીનાર ગામ ના ડુંગરી ફળિયા વિસ્તારમાં ધોધમાર વરસાદ ને પગલે નદી -નાળા છલકાતા પાણી ડુંગરી ફળિયા વિસ્તારના રોડ ઉપર ફરી વળતા આ વિસ્તારમાં રહેતા લોકો અને ખેડૂતો ને ભારે વરસાદ માં મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.
રસ્તા ઉપર પાણી ફરી વળતા દૂધ ભરવા જનાર પશુ પાલકો ની હાલત પણ કફોડી બની છે કેમકે આ રસ્તા ઉપર થી મોટરસાયકલ તો દૂર ચાલીને પણ રસ્તો નથી કરી શકતા. જેથી પશુ પાલકો દૂધ ભરવા માટે પણ દૂધ ડેરી જવા મથામણ કરી રહ્યા છે આ સમસ્યાને ધણા વર્ષો વીતી ગયા પરંતુ નફફટ વહીવટી તંત્ર ના પાપે આ વિસ્તારના લોકો મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે આ વિસ્તારના લોકો ની માંગ ઉઠી છે કે વહેલી તકે આ રસ્તા ઉપર ભરાતા પાણી નો યોગ્ય નિકાલ લાવી લોકો ને પડતી હાલાકી દૂર કરે દર વર્ષે વરસાદ શરૂ થયા અને લોકો ને હાલાકી વેઠવી પડે છે. તંત્ર આ સમસ્યા નું કાયમી નિકાલ કરશે કે કેમ? એ હવે જોવાનું રહ્યું.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
