વાંકલ: ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી,  નાની નરોલી ખાતે “E-NEWSLETTER INAUGURATION” (ઈ-ન્યુઝલેટરનું 3જુ પ્રતિબિંબ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું:

બર્મિંગહામ 2022માં ઓલિમ્પિક ગેમ્સમાં ટ્રાયથલોન ડેબ્યૂમાં ભારતની શ્રેષ્ઠ દાવ માનવામાં આવતી કુમારી પ્રજ્ઞા મોહન કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને ઈતર પ્રવૃત્તિઓને બિરદાવી હતી
 
ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી,નાની નરોલી ખાતે આજના રોજ “E-newsletter Inauguration” (ઈ- ન્યુઝલેટર પ્રસ્તુતિકરણ) નાં કાર્યક્રમનું આયોજનકરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં સચિવ એચ.પી.રાવ, વિદ્યાર્થીઓ તથા વાલીઓ વર્ચૂઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યાં હતા.
 
 
કાર્યક્રમનાં મૂખ્ય અતિથિ તરીકે ટ્રાયથલોન ડેબ્યૂમાં ભારતની શ્રેષ્ઠ રમતવીર તથા કોમન વેલ્થ ખેલાડી કુમારી પ્રજ્ઞા મોહન ઉપસ્થિત રહ્યાં હતા. કુમારી પ્રજ્ઞા મોહન અમદાવાદ સ્થિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઇન્ટરનેશનલ એથ્લેટ છે. તેણીએ આંતરરાષ્ટ્રીય ટ્રાયથલોન ઈવેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે વર્તમાન દક્ષિણ એશિયાઈ અને ભારતીય છે ટ્રાયથલોન ચેમ્પિયન-મે 2019માં, તે ટ્રાયથલોન વર્લ્ડ કપમાં પ્રથમ ભારતીય બની હતી. તેણે સાઉથ એશિયન અને નેશનલ ગેમ્સ બંનેમાં ગોલ્ડ મેડલ પણ જીત્યા છે. છેલ્લા બે માં વર્ષોથી, તેણીએ એશિયા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના ખંડોમાં તાલીમ આપી છે અને સ્પર્ધા કરી છે. તેણી હાલમાં 2024 પેરિસ ઓલિમ્પિક માટે તાલીમ લેવા જઈ રહી છે. ટ્રાયથલોન એક એવી રમત છે જે રેસમાં 1500 મીટર સ્વિમિંગનો અને ત્યારબાદ 40 કિલોમીટર સાયકલિંગ અને ફિનિશિંગમાં 10 કિલોમીટરની દોડનો સમાવેશ થાય છે.
 કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.આચાર્ય દ્વારા મુખ્ય અતિથિ કુમારી પ્રજ્ઞા મોહન અને સચિવ એચ.પી.રાવનું સ્વાગત કરી પરિચય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રજ્ઞા મોહન દ્વારા “E-newsletter” નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

વાંકલ માંગરોળ -વિનોદ મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ચીખલી તાલુકાના ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા.

ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા. અંદાજે 3 કિ.મી.જેટલો રસ્તો સાંકડો હોવાથી રાહદારીઓ માટે પણ…

વાંસદા મોટી ભમતી ગામે અકસ્માતમાં નવા વળાંક? : તપાસ પર ઉઠ્યા ગંભીર સવાલ.? — શું મૃતક ના પરિવાર ને ન્યાય મળશે કે કેમ?

– “–સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ એવિડન્સ અને મોબાઈલ લોકેશનના આધારે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તો ગુનેગાર ને સજા અને મૃતક પરિવાર ને ન્યાય મળી રહેશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!