
– વાંસદાના દંડકવન આશ્રમ ખાતે
એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર ઉજવાયો યોગ દિવસ
સમગ્ર વિશ્વ માટે ભારતીય સંસ્કૃતિની આગવી દેન એવા યોગને યુનો દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ મળતા વિશ્વભરમાં દર વર્ષે તા.૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી આજે સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્યારે વાંસદા તાલુકાના દંડકવન આશ્રમ ખાતે ખુશનુમા વાતાવરણમાં એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વાંસદા તાલુકા વહીવટી તંત્ર દ્વારા વાંસદા તાલુકાના દંડકવન આશ્રમ પર સવારે સામૂહિક યોગ સાધનાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું . ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ હેઠળ ઉજવાયેલા આ કાર્યક્રમમાં તન અને મનના સ્વાસ્થ્ય માટે યોગપ્રેમીઓએ વિવિધ યોગાસનો કરી ભારતીય યોગ સંસ્કૃતિને ઉજાગર કરી હતી. દરેક જિલ્લા પંચાયતના સીટ પર વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું
આ કાર્યક્રમમાં વાંસદા તાલુકાના મામલતદાર, વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ દિપ્તીબેન પટેલ, શિવેન્દ્રસિંહ સોલંકી , વાંસદા ભાજપ સંગઠન ના ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા , વિરલભાઈ વ્યાસ , સામાજિક અગ્રણી ધર્મેન્દ્રસિંહ સોલંકી, રાજુ મોહિતે , મહેશ કુર્મી , આશ્રમ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહી સામુહિક યોગમાં સહભાગી થયા હતા.
અમિત મૈસુરીયા-
