દશેરા અને નવરાત્રીના સમયમાં આંધ્રપ્રદેશના નલ્લોર સ્થિત ઐતિહાસિક વાસવી કન્યકા પરમેશ્વરી મંદિરને 5.16 કરોડ રૂપિયાથી શણગારવામાં આવ્યું

મંદિરની ભવ્ય સજાવટ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.એવું પ્રથમ વાર નથી થયું કે આ મંદિરને ચલણી નોટોથી શણગારવામાં આવ્યું હોય આ પહેલા પણ દશેરાના તહેવાર પર ચલણી નોટોથી શણગાર કરવામાં આવ્યો છે.વાસવી કન્યકા પરમેશ્વરી મંદિરની કમિટીએ સોમવારે દેવીને 5.16 કરોડની ચલણી નોટોનો શણગાર કર્યો છે. નોંધનીય છે કે 4 વર્ષ પહેલા જ મંદિરનું રીનોવેશન કરવામાં આવ્યું હતું જેનો ખર્ચ અંદાજિત 11 કરો રૂપિયા હતો. નલ્લોર શહેરી વિકાસ પ્રધિકરણના અધ્યક્ષ અને મંદિર કમિટીના સદસ્ય મુકકલા દ્વારકાનાથે જણાવ્યું કે, આ મંદિર 130 વર્ષ પ્રાચીન છે.વધુમાં જણાવ્યું કે ભક્તોના સહયોગથી દેવીને 7 કિગ્રા સોનુ અને 60 કિગ્રા ચાંદીથી સુશોભિત કરવામાં આવશે. હાલમાં અંદાજિત 100થી વધુ સ્વયંસેવકો દશેરાના પર્વને લઈ અહીં કામ કરી રહ્યા છે.મંદિરની સજાવટમાં રૂપિયા 10થી લઇ 2,000ની રંગ બેરંગી નોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચલણી નોટથી જ ગુલદસ્તા, ફૂલ અને ઝાલર વગેરે વસ્તુઓ બનાવવામાં આવી છે.

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

બીલીમોરા બ્રહ્માકુમારી ગુજરાતના હીરક મહોત્સવ નિમિત્તે બ્રહ્માકુમારીઝ દ્વારા સંપન્ન થઇ સફળ ” શાંતિ પ્રકમ્પન પદયાત્રા”

બ્રહ્માકુમારી ગુજરાતના હીરક મહોત્સવ નિમિત્તે બીલીમોરા બ્રહ્માકુમારીઝ દ્વારા સંપન્ન થઇ સફળ ” શાંતિ પ્રકમ્પન પદયાત્રા” બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય એ માનવ જીવનને આધ્યાત્મિકતાના સરળ પાઠો થકી નૈતિકતા અને મૂલ્યોથી શૃંગારિત કરતી…

સ્વામી શ્રી મનીષાનંદજીના દિવ્ય તત્વના ગુણગાન કારતક સુદ એકાદશી – તુલસી વિવાહના આ પવિત્ર, દિવ્ય, શુભ યોગ દિવસે કાર્યક્રમ કરવામાં આવ્યો.

સ્વામી શ્રી મનીષાનંદજીના દિવ્ય તત્વના ગુણગાન કાર્યક્રમ કારતક સુદ એકાદશી – તુલસી વિવાહના આ પવિત્ર, દિવ્ય, શુભ યોગ દિવસે બિલીમોરા શ્રી દ્વારિકાધીશ મન્દિરના પવિત્ર પટાંગણ ઉપર ભરૂચ જિલ્લાના નર્મદા નદી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!